ઉજ્જૈન મહાકાલના પુજારીના 17 વર્ષીય પુત્રનું સાયલન્ટ હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમગ્ન થયો


  • Published By :
  • Published Date : 2023-03-14 19:11:03

ઉજ્જૈનમાં ગઈકાલે રંગપંચમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, આ દિવસે મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુનો પુત્ર મયંક પણ શોભાયાત્રામાં સામેલ થયો હતો. જો કે શોભાયાત્રા દરમિયાન મયંક નર્વસ હોવાનું અનુભવી રહ્યો હતો. તે ઘરે ગયા બાદ પણ તેને આરામ ન મળતા પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં બાદમાં તેનું મોત નીપજ્યું હતું.


તલવારબાજી દરમિયાન નર્વસ થયો 


મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુના પુત્ર મયંકે પણ ઉજવણી સમારોહમાં ભાગ લીધો હતો. એવું કહેવાય છે કે મયંકની તબિયત સવારથી સારી નહોતી. મંગેશે રંગપંચમી નિમિત્તે આયોજિત ફ્લેગ રનિંગ સેરેમનીમાં તલવારબાજીનું પણ પ્રદર્શન કર્યું હતું. તલવારબાજી કરતી વખતે તેણે નર્વસ હોવાની અનુભતી કરી હતી. સાથીઓ સાથે મસ્તીમાં ડૂબેલો મયંક થોડીવાર પછી બધાને છોડીને ત્યાંથી નીકળી ગયો હતો.


સાયલન્ટ હાર્ટ એટેકથી મોત


મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ શર્માનો પુત્ર મયંક 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તલવાર ઘુમાવ્યા બાદ તે નર્વસ થવા લાગ્યો. તેણે તેના પરિવારજનોને આ અંગે જણાવ્યું. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે મયંકને મૃત જાહેર કર્યો હતો. તબીબોના જણાવ્યા પ્રમાણે મયંકનું મોત સાયલન્ટ હાર્ટ એટેકના કારણે થયું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.