Mahadev App Scam : ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ EDની કાર્યવાહી, આ જગ્યાઓ પર કરાઈ છાપામારી, જાણો કેટલી સંપત્તિ કરાઈ જપ્ત?


  • Published By :
  • Published Date : 2023-09-16 13:10:11

છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા અનેક જગ્યાઓ પર રેડ કરવામાં આવી રહી છે. રેડ કરી કરોડોની સંપત્તિને જપ્ત કરવામાં આવતી હોય છે. ત્યારે આવી જ કડક કાર્યવાહી ઓનલાઈન ગેમ્બલિંગ એપ મહાદેવ વિરૂદ્ધ કરવામાં આવી છે. આખી એપનું સંચાલન દૂબઈથી કરાઈ રહ્યું હતું. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિતના વિસ્તારોમાં ઈડી દ્વારા રેડ કરી છે અને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ છાપામારી દરમિયાન કુલ 417 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  

મહાદેવ એપ વિરૂદ્ધ ઈડીએ કરી કાર્યવાહી 

મોબાઈલ ફોનનો ઉપયોગ દરેક વ્યક્તિ કરતો હોય છે. અલગ અલગ એપનો ઉપયોગ લોકો કરતા હોય છે. ભગવાનનું નામ લેવાય તે માટે લોકો ભક્તિને લગતી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય છે પરંતુ અનેક વખત સટ્ટાબાજો પણ ભગવાનના નામ પર એપ્લિકેશનનું નામ રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ મહાદેવ સટ્ટાબાજ એપની...આ એપ ઓનલાઈન સટ્ટાબાજી સાથે જોડાયેલી છે. 


417 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત 

ઓછા સમયમાં ઓછી મહેનત કરી સારા પૈસા કમાવાની લાલચ હોવાને કારણે લોકો સટ્ટો રમતા હોય છે. ઓનલાઈન સટ્ટા પણ રમાઈ રહ્યા છે. ત્યારે ઓનલાઈન સટ્ટા પર સકંજો લાવવા ઈડી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાદેવ એપના પ્રમોટરોના વિવિધ સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન કરોડોનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિત મહાદેવ એપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક્સ સામે કાર્યવાહીના ભાગરૂપે દરોડા પાડ્યા હતા. 417 કરોડની સંપત્તિને ફ્રિજ કરવામાં આવી છે. 


રેડની કાર્યવાહી બાદ શું કહ્યું અધિકારીએ?

આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. આ મામલે ઈડીએ જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ કરતી વખતે સામે આવ્યું કે છત્તીસગઢના ભિલાઈમાં રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઈન બૂક એપના મુખ્ય પ્રમોટર છે. આ એપનું સમગ્ર સંચાલન દુબઈથી કરવામાં આવે છે. તે પોતાના સહયોગીઓને ૭૦-૩૦ ટકા નફાની સરેરાશ પર પેનલ-શાખાઓની ફ્રેન્ચાઈઝી આપીને સંચાલિત કરાતી હતી. સટ્ટાબાજીમાંથી જે આવક થાય તે આવકને વિદેશી ખાતાઓમાં મોકલવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવતી.  હવાલા ઓપરેશન ચલાવવામાં આવતું હતું. સટ્ટાબાજી પ્રત્યે લોકોને આકર્ષણ થાય તે માટે વિવિધ જાહેરાતો પણ કરવામાં આવતી. સટ્ટાબાજી વેબસાઈટોની જાહેરાત માટે ભારતમાં રોકડમાં પણ જંગી ખર્ચ કરવામાં આવતો હતો. વેબસાઈટનું માર્કેટિંગ કરવામાં આવતું હતું. 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.