Gyansahayakના વિરોધમાં Gandhinagar ખાતે યોજાયું મહા સંમેલન, TET-TAT ઉમેદવારો ઉપરાંત Chaitar Vasava તેમજ Yuvrajsinh આક્રામક દેખાયા!


  • Published By :
  • Published Date : 2023-10-22 15:51:04

ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયકના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત રહી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. અલગ અલગ રીતે જ્ઞાન સહાયકનો વિરોધ રાજકીય પાર્ટી તેમજ ઉમેદવારો કરી રહ્યા છે. દાંડી યાત્રા 2.0ની સમાપ્તિ ગઈકાલે થઈ ગઈ છે. દાંડી યાત્રાથી નિકળેલી આ યાત્રા અમદાવાદમાં પૂર્ણ થઈ છે.

 

યુવા અધિકાર યાત્રા દરમિયાન નેતાઓ આક્રામક દેખાયા!

શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે કથડી રહી છે. બાળકોને સારૂં શિક્ષણ મળે તે માટે ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આંદોલનો કરવામાં આવી રહ્યા છે. દાંડી યાત્રા 2.0 પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારોએ મહા સંમેલન યોજ્યું હતું. જેમાં  હજારો ઉમેદવારો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવા એકદમ આક્રામક દેખાયા હતા.  

શું કહ્યું યુવરાજસિંહે તેમજ ચૈતર વસાવાએ?

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ આ યાત્રા દરમિયાન એકદમ આક્રામક દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે અમારો સંકલ્પ છે કે જ્યાં સુધી આ કરાર આધારીત ભરતી બંધ કરાવી, શિક્ષકોની કાયમી ભરતી શરૂ નહીં કરાવીએ ત્યાં સુધી ભાજપ સરકાર વિરૂદ્ધની અમારી આ લડત બંધ નહીં કરીએ. તે ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતીઓ કરીને સરકારી નોકરી ખતમ કરી રહી છે અને ખાનગીકરણ કરી રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.