ન્યુઝીલેન્ડમાં આવ્યો 6.1 તીવ્રતાનો ભૂકંપ, ચક્રવાત બાદ ધરતીકંપ આવતા લોકોમાં ડર


  • Published By :
  • Published Date : 2023-02-15 15:54:05

તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે. ભૂકંપને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે ધરતીકંપના આંચકા ન્યુઝીલેન્ડમાં અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપના આંચકા 6.1ની તીવ્રતા વાળા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પરમપરાઉમુ દ્વીપથી 50 કિલોમીટર દૂર હતું. આ ઝાટકા ખૂબ જ ઝડપથી આવ્યા હતા. આ પછી લગભગ 30 સેકેન્ડ સુધી હળવા આંચકાનો અનુભવ થયો હતો. ઝાટકા એટલા તીવ્ર હતા કે ટેબલ પર રાખેલી વસ્તુઓ પડી ગઈ હતી. 


ન્યુઝીલેન્ડમાં આવ્યું છે ચક્રવાત 

કુદરત જાણે રુઠી હોય તેવું લાગી રહ્યું છે. એકબાદ એક આપદાઓ આવી રહી છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે તારાજી સર્જાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ ચક્રવાતને કારણે ઘણા ટાપુઓ પ્રભાવિત થયા છે. ન્યઝીલેન્ડના ઈતિહાસમાં આવી ઘટના ઘણી ઓછી બનતી હોય છે. 


6.1 તીવ્રતાનો આવ્યો ભૂકંપ  

એક તરફ ચક્રવાતને કારણે આફત આવી છે તો બીજી તરફ ન્યુઝિલેન્ડમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. 6.1ની તીવ્રતા વાળા આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ભૂકંપનો પહેલો આંચકો ખૂબ જ ઝડપથી આવ્યો હતો. આ પછી લગભગ 30 સેકેન્ડ સુધી હળવા આંચકા આવતા રહ્યા. ભૂકંપના આંચકા બાદ બીજી વખત પણ ધરા ધ્રુજી હતી. આ ભૂકંપને કારણે જાનહાની થઈ હોય તેવી માહિતી નથી મળી રહી.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે