ન્યુઝીલેન્ડમાં આવ્યો 6.1 તીવ્રતાનો ભૂકંપ, ચક્રવાત બાદ ધરતીકંપ આવતા લોકોમાં ડર


  • Published By :
  • Published Date : 2023-02-15 15:54:05

તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે. ભૂકંપને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે ધરતીકંપના આંચકા ન્યુઝીલેન્ડમાં અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપના આંચકા 6.1ની તીવ્રતા વાળા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પરમપરાઉમુ દ્વીપથી 50 કિલોમીટર દૂર હતું. આ ઝાટકા ખૂબ જ ઝડપથી આવ્યા હતા. આ પછી લગભગ 30 સેકેન્ડ સુધી હળવા આંચકાનો અનુભવ થયો હતો. ઝાટકા એટલા તીવ્ર હતા કે ટેબલ પર રાખેલી વસ્તુઓ પડી ગઈ હતી. 


ન્યુઝીલેન્ડમાં આવ્યું છે ચક્રવાત 

કુદરત જાણે રુઠી હોય તેવું લાગી રહ્યું છે. એકબાદ એક આપદાઓ આવી રહી છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે તારાજી સર્જાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ ચક્રવાતને કારણે ઘણા ટાપુઓ પ્રભાવિત થયા છે. ન્યઝીલેન્ડના ઈતિહાસમાં આવી ઘટના ઘણી ઓછી બનતી હોય છે. 


6.1 તીવ્રતાનો આવ્યો ભૂકંપ  

એક તરફ ચક્રવાતને કારણે આફત આવી છે તો બીજી તરફ ન્યુઝિલેન્ડમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. 6.1ની તીવ્રતા વાળા આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ભૂકંપનો પહેલો આંચકો ખૂબ જ ઝડપથી આવ્યો હતો. આ પછી લગભગ 30 સેકેન્ડ સુધી હળવા આંચકા આવતા રહ્યા. ભૂકંપના આંચકા બાદ બીજી વખત પણ ધરા ધ્રુજી હતી. આ ભૂકંપને કારણે જાનહાની થઈ હોય તેવી માહિતી નથી મળી રહી.    




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.