નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, યુપી, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા


  • Published By :
  • Published Date : 2023-10-22 11:15:51

નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે રવિવારે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 7.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનમા બાગમતી અને ગંડકી પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ ભૂકંપ મોનિટરિંગ અને રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધાડિંગ જિલ્લામાં હતું. આ સાથે જઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા 5.2 માપવામાં આવી છે.


નેપાળમાં ભૂકંપ શા માટે આવ્યો?


નેપાળમાં તિબેટીયન અને ભારતીય ટેકટોનિક પ્લેટો અથડાતા તેના સ્થાનને કારણે ભૂકંપ અસામાન્ય નથી. આ પ્લેટો પ્રત્યેક સદીમાં બે મીટરના અંતરે એકબીજાની નજીક જાય છે, જે દબાણ બનાવે છે અને ત્યારબાદ ભૂકંપ આવે છે. થોડા દિવસ પહેલા જ 16 ઓક્ટોબરે નેપાળના દુર પશ્ચિમ ભાગમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેપાળને 2015 માં 7.8 તીવ્રતાનો વિનાશક ભૂકંપ અને આફ્ટરશોક્સનો સામનો કરવો પડ્યો હતો, જેમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા.


સર્વત્ર માનવ ચીસો સાંભળવા મળી


આ સિવાય નેપાળની સરહદ સાથે જોડાયેલા બિહારના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લોકોએ સવારે ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું. ભૂકંપના આંચકાના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. સર્વત્ર ચીસાચીસનો માહોલ હતો. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?