માફિયા મુખ્તાર અંસારી પાછળ પંજાબમાં 55 લાખનો ખર્ચ, CM ભગવંત માને બિલ ભરવાનો કર્યો ઇનકાર


  • Published By :
  • Published Date : 2023-04-23 13:21:36

પંજાબની રોપડ જેલમાં બંધ ઉત્તર પ્રદેશના કુખ્યાત બાહુબલી માફિયા મુખ્તાર અંસારીની  VIP ટ્રીટમેન્ટ પાછળ અત્યાર સુધીમાં 55 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. રોપડ જેલમાં મુખ્તાર અંસારીની સરભરા પાછળ 55 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેને ભગવંત માને ભરવાનો ઈનકાર કરી દીધો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કોંગ્રેસ સરકાર પર માફિયા મુખ્તાર અંસારીને કર્ન્ફટેબલ સ્ટે આપવાનો આરોપ લગાવ્યો છે.


બિલની ફાઈલને પાછી મોકલાઈ


મુખ્તાર અંસારી પાછળ કરવામાં આવેલા લાખો રૂપિયાના ખર્ચ સંબંધિત બિલની ફાઈલને માને પાછી મોકલી દીધી છે. ભગવંત માને કહ્યું કે, આ ખુલ્લી લૂંટ છે તેને કોઈ પણ ભોગે ચલાવી નહીં લેવાય. ભગવંત માને એમ પણ કહ્યું કે, મુખ્તાર અંસારીને જેલમાં મળતી સુવિધાઓ અંગે ગત સરકાર કોંગ્રેસને ખબર હશે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે અગાઉની સરકાર પંજાબમાં કુખ્યાત આરોપીઓ પર કેવી મહેરબાન હતી. મેં ફાઈલ પરત મોકલી દીધી છે. કેમ આ બિલ એમની પાસેથી વસુલવામાં ન આવે જે એ સમયે મંત્રી હતા?


બિલોની ચૂકવણી કેવી રીતે થશે?


હવે મોટો સવાલ એ છે કે આ બિલોની ચૂકવણી કેવી રીતે થશે, કારણ કે જેલમાં કેદીઓ પર કરવામાં આવેલા ખર્ચના બીલોની સરકાર ચૂકવણી કરે છે. પરતું ભગવંત માને તો બીલ ભરવાથી સ્પષ્ટ ના પાડી દીધી છે. એવામાં આ બિલની ચુકવણી કોણ કરશે? જો સીએમ માન બીલ નહીં ચૂકવે તો જેલ વિભાગ સામે મોટી મુશ્કેલી ઉભી થશે.


CM ભગવંત માને શું કહ્યું હતું?


પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ગુરુવારે અગાઉની કોંગ્રેસ સરકાર પર યુપીના ગેંગસ્ટર-રાજકારણી મુખ્તાર અંસારીને રૂપનગર જેલમાં આરામદાયક સુવિધાઓ આપવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે તે તત્કાલિન મંત્રીઓને સરકારી તિજોરીમાંથી 55 લાખ રૂપિયાની કાનૂની ફી ચૂકવશે નહીં. તેની વસુલાત માટે સલાહ લેવામાં આવી રહી છે.  ભગવંત માને જાલંધરમાં એક રેલીમાં કહ્યું હતું કે "અમે કાયદાકીય નિષ્ણાતોને પૂછીએ છીએ કે આ વસૂલાત કોની પાસેથી કરવાની છે, અમે સલાહ લઈ રહ્યા છીએ".



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.