હિન્દી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરાવનાર મધ્યપ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 15:29:48

સામાન્ય રીતે આપણા દેશમાં અભ્યાસ માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દેશમાં પહેલીવાર હિંદી ભાષામાં MBBSનો અભ્યાસ કરી શકાશે. મધ્યપ્રદેશ સરકારે આ નવી પહેલ કરી છે. હિંદીમાં અભ્યાસ થતો હોવાથી MBBSના પુસ્તકોને પણ હિંદીમાં તૈયાર કરાયા છે.  ત્રણ પુસ્તકોનું વિમોચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત હિન્દીમેં જ્ઞાન કા પ્રકાશ કાર્યક્રમ દરમિયાન MBBS પ્રથમ વર્ષના ત્રણ વિષયના હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું હતું.

 

આજે દેશમાં નવી શરૂઆત થઈ છે - અમિત શાહ

આ કાર્યક્રમમાં સંબોધન આપતા તેમણે કહ્યું કે આજનો દિવસ ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ઘણો મહત્વનો છે. જ્યારે પણ આવનારા દિવસોમાં ઈતિહાસ લખાશે ત્યારે આજના દિવસનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. સંકલ્પ પત્રની વાત કરતા તેમણે કહ્યું કે જ્યારે મધ્યપ્રદેશની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સંકલ્પ પત્રમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોદીજીની નવી શિક્ષણ નીતિને સૌ પ્રથમ મધ્યપ્રદેશે લાગુ કરી છે. આજે એક નવી શરૂઆત થઈ છે.

  

અંગ્રેજોએ આપણને અંગ્રેજીના ગુલામ બનાવી નાખ્યા - શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. તબીબી શિક્ષણ અંગ્રેજીમાં હોવાથી હિંદી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી ઈચ્છે તો પણ ડોક્ટર બની શકતા નથી. અંગ્રેજી ભાષા સપના પૂરા કરવામાં સૌથી મોટી બાધા બની જાય છે પરંતુ હવે મધ્યપ્રદેશમાં હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બની શકશે. દુનિયાના કોઈ પણ દેશમાં જાવ, ત્યાં શિક્ષણ તે દેશની સ્થાનિક ભાષાઓમાં થાય છે, પરંતુ અંગ્રેજી માનસિકતાના લોકોએ ભારતમાં હિંદી ભાષાને આગળ વધવા નથી દીધી.

                   




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.