Madhya pradesh : ગુનામાં સર્જાયો ભીષણ અકસ્માત, બસની પહેલા થઈ ટક્કર પછી પલટી અને અંતે લાગી આગ...ગયા આટલા લોકોના જીવ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-28 09:48:16

મધ્યપ્રદેશના ગુનામાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે જેણે ન માત્ર રાજ્યને પરંતુ દેશને હચમચાવી દીધો છે. ગુનામાં એક પેસેન્જર બસમાં આગ લાગી હતી જેમાં 13 લોકો બળીને ખાખ થઈ ગયા. મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બર રાત્રે 9 વાગે ગુના આરોન રોડ પર એક બસ ડમ્પર સાથે અથડાઈ. ભયંકર ટક્કર થતા બસ પલટી ગઈ અને એમાં આગ લાગી. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બસ પલ્ટી અને પછી બસમાં લાગી આગ

અનેક લોકો નવા વર્ષની ઉજવણી માટે પ્લાનિંગ કરી રહ્યા છે. નવા વર્ષની તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ મધ્યપ્રદેશના ગુનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અંદાજીત 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે.  ઉપરાંત 15 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર જે બસ સાથે આ દુર્ઘટના સર્જાઈ છે તે હારૂન તરફ જઈ રહી હતી. બસ જઈ રહી હતી ત્યારે બેકાબુ બનેલું ડમ્પર તેની સાથે અથડાયું અને આ અથડામણ થતાં બસ પલટી ગઈ. ન માત્ર બસ પલટી પરંતુ  તેમાં ભીષણ આગ લાગી. એ આગ એટલી વિકરાળ હતી કે તેમાં 13 જીંદગીઓ બુઝાઈ ગઈ. 

Guna Bus Accident: People were in pain in the bus, I saved three-four; Injured eyewitness told the story

13 જેટલી જિંદગીઓ આગમાં બુઝાઈ 

મુસાફરો કંઈ સમજે તે પહેલા જ આગની લપેટામાં બસ આવી ગઈ. આગ લાગતા જ અફરા-તફરી સર્જાઈ. બહાર નીકળવા માટે મુસાફરોએ કાચ તોડ્યા, અને મુસાફરો પોતાનો જીવ બચાવી શક્યા પરંતુ અનેક મુસાફરો એવા હતા જેમના માટે આ યાત્રા અંતિમ સાબિત થઈ. 13 જેટલા લોકો આગમાં દાઝી ગયા અને મોતને ભેટ્યા જ્યારે 15જેટલા લોકો ઘાયલ થયા છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

Guna Bus Accident: People were in pain in the bus, I saved three-four; Injured eyewitness told the story

મુખ્યમંત્રીએ કરી આર્થિક સહાય આપવાની જાહેરાત 

આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી મોહન યાદવે શોક પ્રગટ કર્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ચાર લાખ આપવાની જ્યારે ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે માટે તપાસ કરવા પણ આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ દુર્ઘટનાને લઈ શોક પ્રગટ કર્યો છે. 


ખરાબ રીતે બળી ગયા છે મૃતકોના ચહેરા!

આ દુર્ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા છે તેમના શરીરની એવી હાલત થઈ ગઈ છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કીલ છે. મૃતકોના ચહેરા એટલી ગંદી રીતે બળી ગયા છે કે તેમની ઓખળાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.    



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.