Madhya Pradesh - હરદાના ફટાકડાના કારખાનામાં મોટી દુર્ઘટના, વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી


  • Published By :
  • Published Date : 2024-02-06 14:28:49

મધ્યપ્રદેશના હરદામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નિકળી હતી અને એ ધમાકો એટલો જોરદાર હતો કે અનેક લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એના કારણે 60થી વધુ મકાનો આગની ઝપેટમાં આવી ગયા છે. એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે. એવી માહિતી સામે આવી છે કે તંત્ર દ્વારા આસપાસના ઘરોને ખાલી કરાવામાં આવ્યા છે. 


આગ લાગવાની ઘટના મધ્યપ્રદેશમાં સર્જાઈ 

કોઈ વખત કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતી હોય છે તો કોઈ વખત ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતી હોય છે. આગ લાગવાને કારણે અનેક વખત મોટી જાનહાની સર્જાતી હોય છે અને લોકો મોતને ભેટે છે. આગ કોઈ એક જગ્યા પર લાગે છે પરંતુ તે આગ એટલી પ્રસરી જતી હોય છે કે આસપાસના વિસ્તારોમાં પણ તે ફેલાઈ જતી હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મધ્યપ્રદેશમાં સર્જાઈ છે. હરદાના બૈરાગઢમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગી હતી અને 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


v7 લોકોના થયા મોત!

મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારે અનેક લોકો ફેક્ટરીમાં હાજર હતા. હજી પણ અનેક લોકો આગમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટનાના અનેક વીડિયો સામે આવ્યા છે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.