Gujaratમાં BJPના મહિલા નેતા Madhuben Joshiની પાડોશીએ કરી ધોળા દિવસે હત્યા, કાયદો વ્યવસ્થા નેવે મુકાયા!


  • Published By :
  • Published Date : 2023-11-16 12:06:13

ગુજરાતમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં મારા-મારી, હત્યાના બનાવો બની રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન પણ અનેક મારામારીની તેમજ હત્યાની ઘટનાઓ બની છે. ગુજરાતમાં કાયદાનો લોકોને ડર જ ન હોય તેવું લાગે છે. નાની નાની વાતમાં લોકો એકબીજાની હત્યા કરવા તત્પર બન્યા હોય તેવું લાગે છે. ક્યાંક ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થાય અને હત્યા કરવામાં આવે તો ક્યાંક પાર્કિંગને લઈ આવા બનાવો બને છે. ત્યારે ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ભાજપના મહિલા નેતા પર હુમલોનો શિકાર બન્યા છે. આ હુમલો એટલો ગંભીર હતો કે મહિલા નેતાનો જીવ બચી ન શક્યો.

ભાજપના મહિલા નેતા પર થયો હુમલો   

રાજ્યમાં ગુનાખોરી એકદમ ઝડપતી વધી રહી છે, તેના ઉદાહરણો પણ તમને આપવાની જરૂર નથી. લોકોની સહન કરવાની ક્ષમતા એ હદે ઘટી ગઈ છે કે  નાની નાની વાત પાર ખુનસ રાખીને કોઈને પણ મારી નાખે છે! ફરી એવો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે જેમાં સત્તા પક્ષના ભાજપના મહિલા નેતા મધુબેન જોશીની હત્યા કરી નાખવામાં આવી છે. ભાજપના મહિલા નેતાની હત્યા તેમના પાડોશીએ કરી છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. વિગતવાર વાત કરીએ તો વાત એમ હતી કે પહેલા બંને વચ્ચે પક્ષો વચ્ચે વાહન ટકરાવવા બાબતે બોલાચાલી થઇ હતી.  જે આરોપીએ નેતા પર હુમલો કર્યો છે તેમના નામ છે ઋષિક મહેતા, જયઓમ મહેતા તેમજ હરિઓમ મહેતા છે. જે લોકોએ આ હત્યાને અંજામ આપ્યો છે તેમની ઉંમર નાની છે. એકની ઉંમર 22 વર્ષ છે, બીજાની ઉંમર 20 વર્ષની છે જ્યારે ત્રીજા આરોપીની ઉંમર 18 વર્ષની છે. 

તિક્ષ્ણ હત્યા વડે નેતા પર કરાયો હુમલો 

આ મહિલા નેતા ઠપકો આપવા આરોપીના ઘરે ગયા હતા અને મામલો ઉગ્ર બનતા ભાજપના મહિલા નેતાની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખવામાં આવી. ઘાયલ અવસ્થામાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પણ તેમનો જીવ ન બચી શક્યો. આ હુમલામાં મૃતક મહિલા નેતાના પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે આવા તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નજીવી બાબતને ધ્યાનમાં રાખી મોતને ઘાટ લોકોને ઉતારી દેવામાં આવ્યા છે. 


કાયદાનો લોકોને રહ્યો જ નથી ડર!

મધુબેન ઘારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હતા, જિલ્લા સંગઠનમાં પણ તેઓ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યાં છે, તેઓ વર્ષોથી ભાજપમાં સક્રિય હતા,અને એટલે ક્યારે સત્તા પક્ષના નેતા સાથે એવું કઈ થાય તો ઘણા બધા સવાલો ઉભા થાય છે પોલીસ આ હત્યા કેસની તપાસમાં લાગી ગઈ છે. આરોપી પોલીસની પકડમાં છે પરંતુ આમાં પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન છે. આવી વધતી ઘટનાઓને જોતા લાગે છે કે પોલીસનો, કાયદાનો લોકોને ડર જ નથી.ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એકદમ ખરાબ થઈ ગઈ છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!