મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચુંટણી લડશે,ભાજપ પ્રત્યએ પ્રેમ દર્શાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:22:26

ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેમાં વાઘોડિયાના દબંગ ધારાસભ્યને ટિકિટ ન મળતા તેમણે ભાજપ તરફી નારાજગી દેખાઈ રહી છે ભાજપે 160 ઉમેદવારોની યાદ જાહેર કરી હતી જેમાં મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાયું હતું હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ માંથી ચુંટણી લડવા જઈ રહ્યા છે ભાજપે તેમની ટિકિટ કાપી નાખતા તેમના ઘરે ચાહકો ઉમટી પડ્યા હતા અને પોતાના કાર્યકરો સાથે ચર્ચા કરીને તેમણે આ નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે 


મધુશ્રીવાસ્તવનો ભાજપ પ્રત્યે પ્રેમ 

મધુશ્રીવાસ્તવે છેલ્લા એક મહિનાથી ભાજપ હાઇકમાંડની ઊંઘ હરામ કરી નાખી હતી. તેઓએ ઘણી વાર મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે "ભાજપથી મને પ્રેમ છે ભાજપ મને જ ટિકિટ આપશે" ટિકિટ કપાયા પછી મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ચુંટણી લડીશ તો અપક્ષ તરીકે લડીશ બીજી કોઈ પાર્ટીમાં નહીં જાઉ હું ભાજપનો છું અને ભાજપનો રહેવાનો છું. ચૂંટણી લડ્યાં પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું.


મધુ શ્રીવાસ્તવ 25 વર્ષથી ધારાસભ્ય 

આ ધારાસભ્યને ઘણી વાર દાદાગીરી કરતાં અને દબંગાઈ કરતાં જોવા મળે છે છતાં વાઘોડિયાની જનતા આ ધારાસભ્યને 25 વર્ષથી ચૂંટતી આવે છે. તેઓ પહેલી વાર અપક્ષમાંથી ધારાસભ્ય થયા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા 1995થી તેઓ ધારાસભ્ય છે પણ વખતે દિશા બદલે તેવું લાગી રહ્યું છે 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.