વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવના પત્ની લડી શકે છે ચૂંટણી, મધુ શ્રીવાસ્તવે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-10 09:21:20

ભાજપમાંથી કોને ટિકિટ મળશે તે અંગે હજી બધાને અસમંસજ છે. કોનું પત્તું કપાશે તે અંગે કોઈને ખબર નથી, એવું માનવામાં આવી રહ્યું છે આ વખતે અનેક નવા ચહેરાને તક આપવામાં આવશે. ત્યારે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે મોટો દાવો કર્યો છે. ટિકિટ ફાળવણીને લઈ એવી વાતો વહેતી થઈ હતી કે વાઘોડિયાથી ભાજપ ડો. પારૂલને ટિકિટ આપશે. આ બધા વચ્ચે મધુશ્રીવાસ્તવે કહ્યું કે વાઘોડિયા બેઠક પરથી તે નહીં પરંતુ તેમની પત્ની ચૂંટણી લડશે. તેમના આવા નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

ભાજપ આ ઉમેદવારને ટિકિટ આપવા અંગે કરી રહ્યું છે વિચારણા 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને થોડો સમય જ બાકી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.પરંતુ ભાજપમાં ટિકિટ મુદ્દે ભારે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ બેઠક પરથી આ વખતે તેમની પત્ની ચૂંટણી લડશે. પરંતુ મહત્વનું છે કે જ્યારે પરષોત્તમ રૂપાલાએ બેઠક યોજી હતી ત્યારે શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ આ બેઠક પરથી પારૂલ યુનિવર્સિટીના ડોક્ટર પારૂલને ટિકિટ આપી શકે છે. 

મારી પત્નીને આ બેઠકથી ચૂંટણી લડાવી શકું છું - મધુ શ્રીવાસ્તવ  

પોતાના નિવેદનથી હમેશાં મદુશ્રીવાસ્તવ ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસો પહેલા ટિકિટ ફાળવણી અંગે તેમણે કહ્યું હતું કે પાર્ટી મને જ ટિકિટ આપશે. ત્યારે અચાનક પોતાના નિવેદનથી તેઓ પલટી ગયા છે, અને નિવેદન આપ્યું કે વાઘોડિયાની બેઠકથી મારી પત્નીને ચૂંટણી લડાવી શકું છું.      




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!