મારે ભાજપની જરૂર નહોતી, ભાજપને મારી જરૂર હતીઃ મધુ શ્રીવાસ્તવ


  • Published By :
  • Published Date : 2022-11-13 14:57:57

વડોદરાની વાઘોડિયા વિધાનસભા વિશે ગુજરાત જાણતું હોય કે ના જાણતું હોય પણ દબંગ અને બાહુબલીની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવને બધા ઓળખતા હશે. મધુ શ્રીવાસ્તવ પોતાના બેફામ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. આજે તેમણે ભાજપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. "ભાજપે મને તક આપી એ બદલ આભાર" કહીને તેમણે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. 


અમિત શાહ સાથે મધુ શ્રીવાસ્તવની થઈ હતી વાત

ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયું હતું. મધુ શ્રીવાસ્તવની વાત ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે થઈ હતી. અમિત શાહે મધુ શ્રીવાસ્તવને 2 દિવસ રાહ જોવાની સલાહ આપી હતી. બે દિવસ બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતા મધુ શ્રીવાસ્તવે નારાજ થઈ પાર્ટી છોડી દીધી છે. ભાજપે ગુજરાતના વિસ્તારો મુજબ નારાજ નેતાઓને મનાવવા માટે નેતાઓને મેદાને ઉતાર્યા છે. મધ્ય ગુજરાતમાં નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટ પર છે. હર્ષ સંઘવીએ પણ ગઈકાલે વડોદરાની મુલાકાત કરી હતી પરંતુ અમુક કારણોસર નેતાઓએ હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યું હતું. 

No Repeat Theory Madhu Shrivastav Waghodia Vadodara MLA Says I will Contest  Gujarat Assembly Elections in 2022 jm – News18 Gujarati

કાર્યકર્તાઓ નક્કી કરશે મારે લડવું કે નહીંઃ મધુ શ્રીવાસ્તવ

આમ તો મધુ શ્રીવાસ્તવ હમણા શું નિવેદનો આપે છે તે જ જાણે છે, કારણ કે ટૂંક સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે મારા પત્ની ચૂંટણી લડશે. થોડા સમય બાદ જ તેમણે પોતાના નિવેદન પરથી પલટી મારી હતી અને જણાવ્યું હતું કે, "એ તો મારા પત્ની બાજુમાં ઉભા હતા અને તેમને સારું લાગે તેના માટે હું બોલ્યો હતો." અત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે મારી એક ટીમ ગામડાઓમાં ફરશે અને મારા લોકો કહશે તો હું ચૂંટણી લડીશ બાકી નહીં લડું. 


ભાજપને વાઘોડિયા બેઠક પર કેટલું નુકસાન પહોંચાડી શકે છે?

સ્થાનિક પત્રકારો સાથે જમાવટે જ્યારે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે મધુ શ્રીવાસ્તવ ભલે કહે છે કે કમિટી બનાવશે , સર્વે કરશે અને અપક્ષમાં લડશે પણ મધુ શ્રીવાસ્તવે વિપક્ષમાં લડવાનું મન બનાવી લીધું છે. જો કે કોંગ્રેસે હજુ વાઘોડિયા બેઠક પર ઉમેદવાર નથી જાહેર કર્યો તો મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી પણ લડી શકે છે. પણ હાલની પરિસ્થિતિ મુજબ મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડે તેની સંભાવનાઓ વધુ છે. જો મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડે તો વાઘોડિયા બેઠક પર એકલા હાથે કબજો કરી શકે તેવી સંભાવનાઓ છે.

भाजपा के कोरोनाग्रस्त विधायक मधु श्रीवास्तव ने कहा - 'मैं बाहुबली हूं और  रहूंगा, मेरे सामने कोरोना सिर्फ नाम का ही कोरोना है' | BJP's Coronafied MLA  ...

ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન નટવર પટેલને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વડોદરા જિલ્લાની દસ બેઠકો પર ભાજપનો દબદબો છે, માત્ર પાદરા બેઠક પર કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે પોતાને નામ કરી હતી. ત્યારે હવે ભાજપ મધુ શ્રીવાસ્તવને ઠંડા પાડવા શું કુનેહ વાપરે તે જોવાનું રહેશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.