મહીસાગરઃ લુણાવાડા ભાજપના નેતા જેપી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 17:03:31

ભાજપના પીઢ નેતાએ ભાજપના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. જેપી પટેલ ત્રણ ટર્મ મહીસાગરના ભાજપ જિલ્લા પ્રમુખ પદે સેવા આપી હતી. ગુજરાત રાજ્યના આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. લુણાવાડામાં ભાજપે જીજ્ઞેશ સેવકને રીપીટ કર્યા છે. અગાઉ 2019માં જીજ્ઞેશ સેવકે લુણાવાડાની સીટ ભાજપને અપાવી હતી. આ વખતે જેપી પટેલને મોકો ના મળતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે અને ભાજપના તમામ પ્રાથમિક હોદા પરથી રાજીનામું આપી દીધું છે. 


મને પાર્ટીથી નહીં ઉમેદવારથી વાંધો છેઃ જેપી પટેલ

પક્ષ સામે વિરોધ નહીં પરંતુ ઉમેદવાર સામે વિરોધ હોતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. જેપી પટેલે દાવો કર્યો હતો કે હું ચોક્કસ જીતીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારે ભાજપ સાથે કોઈ નારાજગી નથી. મને ભાજપે જાહેર કરેલા ઉમેદવારથી વાંધો છે. મને ભાજપે મોકો નથી આપ્યો તેનાથી મને કોઈ વાંધો નથી. મારે પાર્ટી સાથે નહીં પણ ઉમેદવાર સાથે વાંધો છે. માત્ર મને જ નહીં પણ લુણાવાડાના લોકોને પણ જીજ્ઞેશ સેવક સામે નારાજગી છે. 


ભાજપે લુણાવાડા બેઠક પર જીજ્ઞેશ સેવકને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટી નટવરસિંહ સોલંકી અને કોંગ્રેસે ગુલાબસિંહને મોકો આપ્યો છે. મહીસાગર જિલ્લાની 2.60 લાખ મતદારો ધરાવતી લુણાવાડા બેઠક  2019ની પેટા ચૂંટણીમાં જીજ્ઞેશ સેવકે મેળવી હતી. વર્ષ 2017માં રતનસિંહ રાઠોડ અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. લુણાવાડા બેઠક પર 34 ટકા બક્ષી પંચના ઉમેદવાર છે જ્યારે 20 ટકા પાટીદાર મતદારો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.