દેવદિવાળીના દિવસે ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણ, મંદિરોના સમયમાં કરાયો ફેરફાર


  • Published By :
  • Published Date : 2022-11-05 17:25:23

દેવદિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બરના રોજ વર્ષનું અંતિમ ચંદ્રગહણ થવાનું છે. ગ્રહણના થોડા કલાકો પહેલા મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન વેધ લાગી જતો હોય છે. દેવદિવાળીના દિવસે ગ્રહણ હોવાને કારણે શક્તિપીઠ અંબાજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દર્શનના તેમજ આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. 

દેવદિવાળીના દિવસે અંબાજી મંદિર રહેશે બંધ

ચંદ્રગ્રહણ હોવાને કારણે સવારે 6:30 વાગે થતી આરતી સવારે 4:00 વાગ્યે કરવામાં આવશે. આરતી થયા બાદ મંદિર આખો દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ઉપરાંત રાત્રીના 6:30 વાગે થતી આરતી 9:30 કલાકે કરવામાં આવશે. જે બાદ મંદિર મંગળ કરી દેવામાં આવશે. જે બાદ નવ ડિસેમ્બરથી મંદિર રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. 

Know About the special glory of Nagardevi Mata Bhadrakali of Ahmedabad.AGP  – News18 Gujarati

અમદાવાદના મંદિરોમાં પળાશે ગ્રહણ  

અમદાવાદમાં આવેલા અનેક મંદિરોમાં પણ ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે. નગરદેવી ભદ્રકાલી મંદિર સાંજના 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે લાલદરવાજામાં આવેલ ગણપતિ મંદિર બપોરના એક વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ગ્રહણ સમાપ્ત થયા પછી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાશે.   


ચંદ્રોદય સાથે જોવા મળશે ચંદ્રગ્રહણ

આ ચંદ્રગ્રહણ ભારતના પૂર્વ દિશાના રાજ્યોમાં દેખાવાનું છે જ્યારે બીજા રાજ્યોમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાશે. સાંજના ચાર વાગે ભારતમાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે. ભારતમાં ચંદ્રોદય સાથે ચંદ્રગ્રહણ પણ દેખાશે. આ અગાઉ દિવાળીના દિવસો દરમિયાન સૂર્યગ્રહણ થયું હતું.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!