પંજાબના લુધિયાણામાં ગેસ લીકેજ, 11 લોકોના મોત, NDRFએ શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન


  • Published By :
  • Published Date : 2023-04-30 11:50:28

પંજાબના લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં એક દુકાનમાંથી ગેસ લીકેજ થવાથી 11 લોકોના મોત થયા છે જ્યારે 11થી વધુ લોકો બેભાન છે. મૃતકોમાં પાંચ મહિલાઓ, છ પુરૂષો અને 10 અને 13 વર્ષની વયના બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 


NDRFની ટીમે શરૂ કર્યું  રેસ્ક્યુ


NDRFની ટીમે ઘટના સ્થળે પહોંચીને મોરચો સંભાળી લીધો છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. રેસ્ક્યુ ટીમ દરેક ઘરની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રોન દ્વારા ઘરોની છતની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગેસ લીક ​​થવાથી એક બિલાડીનું પણ મોત થયું છે. મૃતકોના મૃતદેહને લુધિયાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


300 મીટર વિસ્તારને ખાલી કરાવાયો


ગેસ લીક ​​થવાથી વધુ નુકસાન ન થાય તે માટે પોલીસે આસપાસના 300 મીટર વિસ્તારને ખાલી કરાવ્યો છે. આ સાથે ગેસ લીકેજને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર કરિયાણાની દુકાનમાંથી ગેસ કેવી રીતે લીક થયો હતો. કયો ગેસ હતો તે તપાસ બાદ જ ખબર પડશે. જોકે એમોનિયા ગેસ લીક ​​થયો હોવાની આશંકા છે.


CM માને દુઃખ વ્યક્ત કર્યું


CM ભગવંત માને ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વિટ કર્યું- લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાંથી ગેસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને NDRFની ટીમો ઘટના સ્થળે હાજર છે.સંભવિત તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.



હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.