પંજાબના લુધિયાણામાં ગેસ લીકેજ, 11 લોકોના મોત, NDRFએ શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન


  • Published By :
  • Published Date : 2023-04-30 11:50:28

પંજાબના લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં એક દુકાનમાંથી ગેસ લીકેજ થવાથી 11 લોકોના મોત થયા છે જ્યારે 11થી વધુ લોકો બેભાન છે. મૃતકોમાં પાંચ મહિલાઓ, છ પુરૂષો અને 10 અને 13 વર્ષની વયના બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 


NDRFની ટીમે શરૂ કર્યું  રેસ્ક્યુ


NDRFની ટીમે ઘટના સ્થળે પહોંચીને મોરચો સંભાળી લીધો છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. રેસ્ક્યુ ટીમ દરેક ઘરની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રોન દ્વારા ઘરોની છતની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગેસ લીક ​​થવાથી એક બિલાડીનું પણ મોત થયું છે. મૃતકોના મૃતદેહને લુધિયાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


300 મીટર વિસ્તારને ખાલી કરાવાયો


ગેસ લીક ​​થવાથી વધુ નુકસાન ન થાય તે માટે પોલીસે આસપાસના 300 મીટર વિસ્તારને ખાલી કરાવ્યો છે. આ સાથે ગેસ લીકેજને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર કરિયાણાની દુકાનમાંથી ગેસ કેવી રીતે લીક થયો હતો. કયો ગેસ હતો તે તપાસ બાદ જ ખબર પડશે. જોકે એમોનિયા ગેસ લીક ​​થયો હોવાની આશંકા છે.


CM માને દુઃખ વ્યક્ત કર્યું


CM ભગવંત માને ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વિટ કર્યું- લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાંથી ગેસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને NDRFની ટીમો ઘટના સ્થળે હાજર છે.સંભવિત તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.