આચાર સંહિતાના કારણે LRD-PSIના ઉમેદવારોને નિમણૂક પત્રો માટે જોવી પડશે રાહ


  • Published By :
  • Published Date : 2022-11-04 16:47:23

ગુજરાતના LRD અને PSIની પસંદગી પામેલા ઉમેદવરો માટે સમાચાર આવી રહ્યા છે કે આચાર સંહિતાના કારણે  LRD અને PSIના ઉમેદવારોની નિમણૂકમાં વિલંબ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે માટે ગુજરાત રાજ્ય સરકાર હવે કોઈ યોજનાઓ અથવા જાહેરાતો બહાર પાડી નહીં શકે. 


નિમણૂક માટે ચૂંટણી પૂરી થવાની રાહ જોવી પડશે 

ગુજરાત સરકારે હમણા 29 ઓક્ટોબરે જ ગાંધીનગરની કરાઈ ખાતે  LRD અને PSIની પસંદગી પામેલા ઉમેદવારોને પસંદગી પત્ર આપ્યા હતા. પસંદગી બાદ હવે તેમનું મેડિકલ ચેકઅપ થશે અને ત્યાર બાદ તમામને નિમણૂક પત્ર આપવામાં આવશે. પરંતુ હાલ આચાર સંહિતા લાગુ છે માટે સરકાર સત્તાવાર રીતે કોઈ સરકારી લાભ થાય તેવી જાહેરાતો નહીં કરી શકે. આથી 8 હજારથી વધુ ઉમેદવારોને નિમણૂક લેવા માટે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીની રાહ જોવી પડશે. 

3 ડિસેમ્બરથી લેવાશે PSI અને LRDની શારીરિક કસોટી, 26 નવેમ્બરથી OJAS પરથી કોલ  લેટર ડાઉનલોડ કરી શકાશે | Physical test for PSI and LRD recruitment will be  taken from 3rd December in

આવતા વર્ષે પણ થશે મોટી ભરતી 

ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૂંટણી પહેલા નવી જાહેરાત કરી હતી કે વર્ષ 2023માં પણ આટલી મોટી સંખ્યામાં ભરતી થાય તેવું આયોજન થશે. હર્ષ સંઘવીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે 300 પોલીસ સબ ઈન્સપેક્ટર અને 9 હજારથી વધુ લોક રક્ષક દળના જવાનોની નિમણૂક કરશે. 




સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.