આચાર સંહિતાના કારણે LRD-PSIના ઉમેદવારોને નિમણૂક પત્રો માટે જોવી પડશે રાહ


  • Published By :
  • Published Date : 2022-11-04 16:47:23

ગુજરાતના LRD અને PSIની પસંદગી પામેલા ઉમેદવરો માટે સમાચાર આવી રહ્યા છે કે આચાર સંહિતાના કારણે  LRD અને PSIના ઉમેદવારોની નિમણૂકમાં વિલંબ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે માટે ગુજરાત રાજ્ય સરકાર હવે કોઈ યોજનાઓ અથવા જાહેરાતો બહાર પાડી નહીં શકે. 


નિમણૂક માટે ચૂંટણી પૂરી થવાની રાહ જોવી પડશે 

ગુજરાત સરકારે હમણા 29 ઓક્ટોબરે જ ગાંધીનગરની કરાઈ ખાતે  LRD અને PSIની પસંદગી પામેલા ઉમેદવારોને પસંદગી પત્ર આપ્યા હતા. પસંદગી બાદ હવે તેમનું મેડિકલ ચેકઅપ થશે અને ત્યાર બાદ તમામને નિમણૂક પત્ર આપવામાં આવશે. પરંતુ હાલ આચાર સંહિતા લાગુ છે માટે સરકાર સત્તાવાર રીતે કોઈ સરકારી લાભ થાય તેવી જાહેરાતો નહીં કરી શકે. આથી 8 હજારથી વધુ ઉમેદવારોને નિમણૂક લેવા માટે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીની રાહ જોવી પડશે. 

3 ડિસેમ્બરથી લેવાશે PSI અને LRDની શારીરિક કસોટી, 26 નવેમ્બરથી OJAS પરથી કોલ  લેટર ડાઉનલોડ કરી શકાશે | Physical test for PSI and LRD recruitment will be  taken from 3rd December in

આવતા વર્ષે પણ થશે મોટી ભરતી 

ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૂંટણી પહેલા નવી જાહેરાત કરી હતી કે વર્ષ 2023માં પણ આટલી મોટી સંખ્યામાં ભરતી થાય તેવું આયોજન થશે. હર્ષ સંઘવીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે 300 પોલીસ સબ ઈન્સપેક્ટર અને 9 હજારથી વધુ લોક રક્ષક દળના જવાનોની નિમણૂક કરશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.