નવા વર્ષે મોંઘવારીની ભેટ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધ્યા


  • Published By :
  • Published Date : 2023-01-01 11:43:24

મોંઘવારીથી ત્રસ્ત લોકોને પડ્યા પર પાટું મારતા હોય તેમ સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધારી છે. પેટ્રોલિયમ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2023 રવિવારથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો ઝિક્યો છે. રાજધાની દિલ્હી સહિતના દેશના મોટા શહેરોમાં આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. 


4 મહાનનગરોમાં કેટલી કિંમતો વધી?


આજથી જ દેશના ચાર મુખ્ય શહેરોમાં ભાવ વધારાની વિગતો આ પ્રમાણે છે, રાજધાની દિલ્હીમાં 19 કિલોનો બાટલાનો ભાવ વધીને 1769, મુંબઈમાં 1721, કોલકાતામાં 1870 અને ચેન્નાઈમાં પ્રતિ સિલિન્ડર 1917 રૂપિયા વધ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ સરકારે નવેમ્બર-2022માં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 115.50 રૂપિયાના ભાવ ઘટાડ્યા હતા.


ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર


ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લો ફેરફાર 6 જુલાઈ, 2022 ના રોજ થયો હતો, જ્યારે તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. બીજી તરફ જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કુલ 153.5 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છેવર્ષ 2022 માં, ઘરેલુ એલપીજીની કિંમતમાં ચાર વખત ફેરફાર થયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.