એલપીજી ગેસ સિલિન્ડરમાં થયો ભાવ વધારો, જાણો હવે કેટલામાં પડશે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર?


  • Published By :
  • Published Date : 2023-03-01 10:54:35

માર્ચની શરૂઆત થતાં જ મોંઘવારીનો એક ફટકો પડ્યો છે. કોમર્શિયલ અને ડોમેસ્ટીક સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે. તહેવાર પહેલા ગેસના ભાવ વધતા મોંઘવારીનો ભાર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. ઘરેલું ગેસના ભાવમાં 50 રુપિયાનો વધારો કરાયો છે જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં સીધો 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ભાવ વધારો દિલ્હીમાં લાગુ કરવામાં આવશે.

  

ભાવ વધતા ખોરવાશે ગૃહિણીઓનું બજેટ 

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. કોઈ વખત દૂધના ભાવ વધે છે તો કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધતા મધ્યમ પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. 


આટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો 

ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રુપિયા 50નો વધારો કરાયો છે જ્યારે 350 રુપિયાનો ભાવ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરાયો છે. જેને કારણે 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 2119.50 રુપિયે મળશે જ્યારે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રુપિયે મળશે. 8 મહિના બાદ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.