Election effect: LPG સિલિન્ડરના ભાવમાં રૂ.200નો ઘટાડો, ઉજ્જવલા લાભાર્થીઓને પણ થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2023-08-29 20:14:37

આ વર્ષે દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતના જેવા મહત્વના 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 2024ની શરૂઆતમાં લોકસભાની ચૂંટણી પણ છે. આ સ્થિતિમાં મોંઘવારી એક મોટો ચૂંટણી મુદ્દો છે. વિપક્ષો પણ  કમર તોડ મોંઘવારી અને રાંધણગેસના ભાવના મુદ્દા પર મોદી સરકાર પર પ્રહારો કરે છે ત્યારે મોદી સરકારે આજે મહત્વનમાં નિર્ણય લેતા LPG સિલિન્ડરનામાં ભાવમાં લોકોને મોટી રાહત આપી છે. આજે મોદી સરકારની કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઉજ્જવલા યોજનાના 10.35 કરોડ લાભાર્થીઓને બમણો લાભ મળશે. તેમને સિલિન્ડર માર્કેટ રેટ કરતા 400 રૂપિયા સસ્તું મળશે. અનુરાગ ઠાકુરે સરકારના આ નિર્ણય અંગે જાણકારી આપતા કહ્યું કે દેશના 33 કરોડ ગ્રાહકોને તેનો લાભ મળશે. આ નિર્ણયથી નાણાકીય વર્ષ 2023-24માં સરકાર પર 7,680 કરોડનો બોજ પડશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર 75 લાખ નવા ઉજ્જવલા કનેક્શનનું વિતરણ કરશે. 


ઉજ્જવલા લાભાર્થીઓને બમણો લાભ


ઉજ્જવલા યોજના હેઠળ પહેલાથી જ મળી રહેલી 200 રૂપિયાની સબસિડી ચાલુ રહેશે. પહેલેથી જ મળેલી સબસિડી સિવાય, આ યોજનાના તમામ ગ્રાહકોને રૂ.200ની વધારાની સબસિડી મળશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટના આ નિર્ણય બાદ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કુલ 400 રૂપિયાની સબસિડી મળશે. ઉલ્લેખનિય છે કે ઉજ્જવલા યોજના હેઠળ દેશભરમાં 9 કરોડ 60 લાખ પરિવારોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ખાતામાં 400 રૂપિયા આવશે. એટલે કે તેમને સિલિન્ડર માટે 703 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે, ઉજ્જવલા ગ્રાહકો માટે 400 રૂપિયાની સબસિડી અને અન્ય ગ્રાહકો માટે 200 રૂપિયાની સબસિડી મળશે.


LPG પર સબસિડી તો બંધ છે


ઉલ્લેખનિય છે કે દેશના મોટા ભાગના લોકોને જૂન, 2020થી એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી નથી. હવે માત્ર ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર અપાતાં લોકોને જ 200 રૂપિયાની સબસિડી મળે છે. આ માટે સરકાર લગભગ 6,100 કરોડ રૂપિયા ખર્ચે છે. જૂન 2020માં દિલ્હીમાં સબસિડી વિનાનું સિલિન્ડર 593 રૂપિયામાં મળતું હતું, જે હવે વધીને 1103 રૂપિયાનું થઈ ગયું છે.


રાજ્યના 4 મોટા શહેરમાં શું છે ભાવ?


ગુજરાતમાં વિવિધ મોટા શહેરોમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતો જોવામાં આવે તો. અમદાવાદમાં 1110 રુપિયા પ્રતિ સિલિન્ડર, ભાવનગરમાં 1111 રુપિયા પ્રતિ સિલિન્ડર, ગાંધીનગરમાં 1110.50 રુપિયા પ્રતિ સિલિન્ડર, જામનગરમાં 1115.50 રુપિયા પ્રતિ સિલિન્ડર, રાજકોટમાં 1108 રુપિયા પ્રતિ સિલિન્ડર, સુરતમાં 1108.50 રુપિયા પ્રતિ સિલિન્ડર અને વડોદરામાં 1109 રુપિયા પ્રતિ સિલિન્ડર ગેસની કિંમતો જોવા મળે છે.




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.