રાજસ્થાનમાં રૂ.500માં મળશે LPG સિલિન્ડર 1 એપ્રીલથી અમલી બનશે નવી યોજના


  • Published By :
  • Published Date : 2022-12-19 22:12:17

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યના ગરીબ પરિવારોને માત્ર 500 રૂપિયામાં રાંધણ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. ગેહલોતે આ જાહેરાત એવા પરિવારો માટે કરી છે જેઓ ગરીબી રેખા નીચે છે અને તેમને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની નવી યોજના 1 એપ્રિલ, 2023 થી લાગુ કરવામાં આવશે, જેના માટે તેઓ આવતા મહિને રજૂ થનારા બજેટમાં જોગવાઈ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન રાજસ્થાનના અલ્વરમાં આયોજિત વિશાળ રેલીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મોટી જાહેરાત કરી હતી.


એક વર્ષમાં 12 સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં


પોતાની નવી યોજના વિશે માહિતી આપતાં ગેહલોતે કહ્યું કે આવતા મહિને તેમની સરકાર રાજ્યનું નવું બજેટ રજૂ કરશે, જેમાં ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને સસ્તો રસોઈ ગેસ આપવાની જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 1 એપ્રિલ, 2023થી રાજ્યની ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા ગરીબ લોકોને 1,040 રૂપિયાના LPG સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે યોજના હેઠળ આવા પરિવારોને એક વર્ષમાં 12 સિલિન્ડર સસ્તા ભાવે આપવામાં આવશે. ગેહલોતે એમ પણ કહ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા તેમના નવા બજેટમાં જનતા પર મોંઘવારીનો બોજ ઘટાડવા માટે કિટ વિતરણની યોજના પણ લાવવામાં આવશે.


મોદી સરકારે ગેસ કનેક્શન આપ્યું પણ સિલિન્ડર ખાલી-ગેહલોત


અશોક ગેહલોતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના નામે ગરીબોને રાંધણગેસ કનેક્શન આપ્યા, પરંતુ ગેસ સિલિન્ડરની કિંમત રૂા.400થી વધીને રૂ.1040 થઇ જવાના કારણે તેમના ઘરમાં સિલિન્ડર ખાલી પડ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની કોંગ્રેસ સરકાર સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ ઘટાડવા માટે એક પછી એક અનેક પગલાં લેવા જઈ રહી છે. ગેહલોતે કહ્યું કે તેમની સરકાર માત્ર 50 યુનિટ સુધી મફત વીજળી જ નથી આપી રહી, પરંતુ ખેડૂતોને દર મહિને 1000 રૂપિયા પણ આપવામાં આવી રહી છે. આના કારણે રાજ્યના 46 લાખ ખેડૂતોને વીજળી ખર્ચવા માટે તેમના ખિસ્સામાંથી કોઈ પૈસા ખર્ચવા પડતા નથી.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.