પંચમહાલ: મોરવા હડફ તાલુકાના પરબીયા ગામે પ્રેમી યુગલને થાંભલે બાંધીને ફટકારતા હોબાળો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-21 22:09:53

આદિવાસી વિસ્તારમાં અવાર નવાર સમાચાર આવતા રહે છે જેમાં યુવક કે યુવતીઓને ઝાડ સાથે કે થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવતો હોય છે. મીડિયામાં આવી ઘટના સામે આવે એટલે તેને તાલીબાની સજાના રૂપમાં જોવામાં આવે છે અને કહેવાય છે કે ફલાણા ફલાણા જગ્યા પણ ફલાણી વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો છે, આવી ઘટનાઓ શા માટે થઈ રહી છે તે તો ખબર નથી પણ અવાર નવાર સામે આવતી હોય છે. પંચમહાલના મોરવા હડફના વાડોદરમાં પણ આવો જ બનાવ સામે આવ્યો છે.


શું હતી સમગ્ર ઘટના?


મોરવા હડફનું નાનું એવું ગામ ગાજીપુર જેમાં આશિષ બારિયા નામનો વ્યક્તિ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આશિષના પત્નીનું નામ કોકીલાબેન છે અને કોકીલાબેનથી તેમને ત્રણ સંતાનો પણ છે. આશિષને પોતાના ગામમાં રહેતી ભાવના સાથે પ્રેમ થયો, બે વર્ષથી 3 છોકરાઓનો બાપ ભાવનાના પ્રેમમાં હતો. બંને એક જ ગામના હતા તો બંનેના લગ્ન થાય એવું શક્ય ન હતું તો બંનેએ મરજીથી ભાગી જવાનું નક્કી કર્યું. બંને લોકો 22 મેના ભાગીને અમદાવાદ આવતા રહ્યા હતા. અમદાવાદમાં બંને પ્રેમી સાથે રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા. સુખેથી જીવન ચાલી રહ્યું હતું પણ એક દિવસ તેના સાળા સુરેશ બારિયાનો ફોન આવ્યો હતો કે તમે અમારા ગામની છોકરી લઈને ભાગી ગયા છો એટલે અમે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રેલો આવતા આશિષ બારૈયા છોકરી સાથે પરબિયા આવવા નિકળ્યો હતો ત્યારે 17 જુલાઈએ પરબિયામાં બંને પ્રેમી પંખિડાને ગાળો આપી હતી. ગાળોથી મનના ભરાયું તો આશિષના સાળાઓએ બંનેને ગામના થાંભલા સાથે દોરડાથી બાંધ્યા અને લાકડીઓથી ફટકા માર્યા. બીજા લોકોનું ધ્યાન પડતા બંનેને બચાવવા દોડી આવ્યા હતા અને બંને પ્રેમીઓને ગામના લોકોએ છોડાવ્યા હતા. ઘટના બાદ આશિષ ગામડે પહોંચ્યો હતો જ્યાં તેમના ઘરવાળાઓએ સલાહ આપી હતી કે તમે પોલીસ ફરિયાદ કરો પછી આશિષે પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે નોંધ્યા બાદ મોરવા હડફ પોલીસે 18 લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તમામને પકડી પાડ્યા હતા.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.