મોરબીના ટંકારામાં લવ જેહાદ, હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ


  • Published By :
  • Published Date : 2023-09-18 16:33:44

મોરબીના ટંકારામાં લવ જેહાદની ઘટના સામે આવી છે. આ સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને લઈ લોકોમાં ભારે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે હિંદુ સંગઠનોએ ટંકારામાં જંગી રેલી અને સજ્જડ બંધનું એલાન તથા  મામલતદાર ટંકારાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને સમગ્ર તાલુકાવાસીનો જંગી રેલીમાં જોડાવવાની હાકલ કરવામાં આવી હતી. આ સાથે જ વેપારીઓ સ્વયંભૂ સવારથી બપોર સુધી બંધ પાળશે અને રેલીમાં જોડાશે તેવી પણ જાહેરાત કરી હતી. જો કે ટંકારા પોલીસ મથકે ડીવાયએસપીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા હિંદું સંગઠનોએ આવતીકાલની રેલી અને બંધનું એલાન હાલ પૂરતું મોકૂક રાખ્યું છે.


શું છે સમગ્ર મામલો?


ટંકારાના મુમનાશેરીમાં રહેતા થયેલા વસીમ ખલીફા નામના એક વિધર્મી યુવકે શુક્રવારે સવારે એક હિંદુ યુવતીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આ મામલે યુવતીના પિતાએ ટંકારા પોલીસ મથકે તેમની 20 વર્ષીય યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં હિંદુ સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. આ લોકોએ  પોલીસ સમક્ષ દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.