Ahmedabadની શોભા વધારવા એસ.જી હાઈવે પર બનાવાશે લોટસ પાર્ક, આટલા કરોડોનો કરવામાં આવશે ખર્ચ


  • Published By :
  • Published Date : 2024-02-07 16:43:07

અમદાવાદ શહેરનું નામ સાંભળતા જ આપણા દિમાગમાં અનેક સ્થળો યાદ આવી જતા હોય છે. અમદાવાદીઓ સામાન્ય રીતે હરવા ફરવાના શોખીન હોય છે. ત્યારે અમદાવાદમાં લોટસ પાર્ક બનાવા માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિવિધ ફૂલો રાખવામાં આવતા હોય છે. ફ્લાવર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે અમદાવાદના એસ.જી.હાઈવે પર લોટસ પાર્ક બનાવવામાં આવશે અને તેમાં દેશના વિવિધ રાજ્યોના ફૂલો રાખવામાં આવશે. ફૂલોની અનેક પ્રજાતિઓ રાખવામાં આવશે આ પાર્કમાં.      

News18 Gujarati

20 કરોડનું ફાળવવામાં આવ્યું બજેટ!

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ક્યાં કેટલા પૈસા ખર્ચવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી. એસ.જી હાઈવે પર આવેલી જગ્યામાં લોટસ પાર્ક તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ક બનાવવા માટે 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને કમળના રૂપમાં તૈયાર કરવામાં આવશે. પાર્કનો આકાર કમળ જોવા હશે અને દરેક પાંખડીમાં વિવિધ રાજ્યોથી આવેલા ફૂલોને રાખવામાં આવશે. વિવિધ રાજ્યોના ફૂલો આપણને એક જ સ્થળ પર જોવા મળશે. એવી પણ માહિતી સામે આવી છે કે પાંખડી ટેબ્લેટ વડે ટેક્નોલોજીના માધ્યમથી નિયંત્રિત કરી શકાશે. 

News18 Gujarati

જો આ પૈસા શિક્ષણ પાછળ વાપર્યા હોત તો..!

મહત્વનું છે કે આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકો કહેશે કે શાળા બનાવવા માટે, શિક્ષણ પાછળ વાપરવા માટે સરકાર પાસે પૈસા નથી! અનેક સરકારી શાળાઓ એવી છે જે જર્જરિત હાલતમાં છે તેને રિપેર નથી કરાવતા અને આવા બધા પાછળ કરોડો ખર્ચે છે



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .