અમદાવાદમાં નીકળશે ભગવાનની રથયાત્રા, આવતી કાલે ભગવાન જગન્નાથ કરશે નગરચર્યા, રથયાત્રા પહેલા આજે થશે રથની પૂજા, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-19 11:10:33

અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથયાત્રાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આવતી કાલે 146મીં રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળશે. મોસાળે ગયેલા ભગવાન નીજ મંદિરે પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધી કરવામાં આવી જેમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા. રથયાત્રા પહેલા ભગવાન આજે સોનાવેશ ધારણ કરશે. રથયાત્રાની આગેવાની કરતા ગજરાજોની પૂજા કરવામાં આવશે. નિજ મંદિરના પ્રાંગણમાં રથની પ્રતિષ્ઠા થશે અને તેની પણ પૂજા કરવામાં આવશે.સંધ્યા આરતીમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત સ્થાનિક મંત્રીઓ તેમજ નેતાઓ હાજર રહેશે.મહત્વનું છે કે રથયાત્રાને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. 


ગઈકાલે યોજાઈ નેત્રોત્સવ વિધી!

અષાઢી બીજના દિવસે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન આપવા ભગવાન આવતી કાલે નગરચર્યાએ નીકળવાના છે. રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મામાના ઘરેથી ભગવાન નીજ મંદિર પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધી બાદ થતી આરતીનો લાભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધો હતો.માન્યતા અનુસાર આંખો આવવાને કારણે નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. 


પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત! 

અમદાવાદમાં 146મી રથયાત્રા આવતી કાલે નીકળવાની છે. રથયાત્રા દરમિયાન શાંતિ ભંગ ન થાય તે માટે તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા 3ડી મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે નવા રથ પર સવાર થઈ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે.        



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!