ભગવાન જગન્નાથજી 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજશે, આજે અમદાવાદના માણેકચોકમાં નંદીઘોષ રથનું યોજાયું ટ્રાયલ


  • Published By :
  • Published Date : 2023-05-22 14:31:17

અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી રથયાત્રા પહેલા આજે રથયાત્રા માટેના ભગવાન જગન્નાથના રથ નંદીઘોષનું રિહર્સલ કરાયુ હતું. આ વખતની રથયાત્રાની સૌથી નોંધવા જેવી બાબત એ છે કે  ભગવાન જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપશે. ભગવાન જગન્નાથનો નવો રથ નવા રંગરૂપમાં જોવા મળશે. આ વખતે ભગવાન જગન્નાથનો રથ જગન્નાથ પુરીના રથની પેટર્ન પર તૈયાર કરવામાં આવ્યો છે. રથના રંગ અને ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે જૂના રથ પણ દર્શન માટે રાખવામાં આવશે.


નવા રથની શું છે વિશેષતા?


અત્રે ઉલ્લેખનિય છે કે જગન્નાથ મંદિરની પરંપરા પ્રમાણે જ નવા રથની સાઈઝ રાખવામાં આવી છે. રથ નિર્માણ માટે  સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે. ભગવાનના નવા રથ  80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવ્યા છે. રથ બનાવવામાં લગભગ ચાર મહિના જેટલો સમય લાગ્યો છે. 5 કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે.


આજે યોજાયું રથનું ટ્રાયલ 


આજે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં ભગવાન જગન્નાથના નંદીઘોષ રથનું ટ્રાયલ યોજાયું હતું. રથને ફેરવીને રથના સ્ટ્રક્ચરને લગતા વિવિધ પાસાઓનું અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને રથયાત્રા જ્યારે માણેકચોકમાં ચાંલ્લાની ઓળ ખાતે સાંકડી ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે તકલીફ પડે છે. નવા રથમાં પણ માણેકચોકમાં આવી કોઈ તકલીફ ન પડે તેના માટે થઈ અને આજે રથ જ્યાં રાખવામાં આવ્યા છે, ત્યાં જ એવી રીતે સાંકડી જગ્યા છે, જેથી ત્યાંથી પસાર થઈ શકે કે કેમ તેનું આજે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આજે ટ્રાયલ દરમિયાન રથને જ્યારે ફૂલ ટર્ન મારવાનો હોય ત્યારે હજી તેમાં થોડી તકલીફ જેવું બની શકે છે, જેથી રથમાં સુધારા કરવામાં આવી શકે છે. આગામી દિવસોમાં સુભદ્રાજી અને બલભદ્રજીના રથનું પણ ટ્રાયલ કરવામાં આવશે.


વર્ષ 1950માં બન્યા હતા જુના રથ


અમદાવાદમાં ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે  ભગવાનના રથ 72 વર્ષ પછી નવા બનાવવામાં આવ્યા છે. છેલ્લે વર્ષ 1950માં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીના રથ નવા બનાવવામાં આવ્યા હતા. છેલ્લાં 3 મહિનાથી ભગવાનના નવા રથ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જગન્નાથપુરીની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અમદાવાદની રથયાત્રામાં નવા રથ જગન્નાથપુરીની રથયાત્રાના રથ જેવા જ બનાવવામાં આવ્યાં છે.


20મી જૂને નિકળશે રથયાત્રા


અમદાવાદના જગન્નાથ મંદિરેથી આગામી 20મી જૂને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી  અને ભાઈ બલરામજી નવા રથમાં બેસી નગરચર્યા કરવા નીકળશે. આ વખતની ભગવાન જગન્નનાથજીની 146મી રથયાત્રા ખાસ છે, કારણ કે જગન્નાથજીના રથ સહીત ત્રણેય રથ વર્ષો પછી નવા બનાવવામાં આવ્યાં છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!