ભક્તોને આશીર્વાદ આપવા જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ, ભગવાન સાથે બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર પણ છે હાજર


  • Published By :
  • Published Date : 2023-06-20 08:39:10

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. આમ તો ભગવાનના દર્શન કરવા ભક્તોએ મંદિરમાં જવું પડે છે પરંતુ માત્ર અષાઢી બીજ ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે. બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર સાથે ભગવાન નગરચર્યાએ નીકળે છે. ત્યારે વાજતે ગાજતે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરી તે બાદ ભગવાન નગરચર્યાએ નીકળ્યા.      


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.