Loksabha Election : Gujaratની આટલી બેઠકો પર વર્તમાન સાંસદોને રિપીટ કરવાની સંભાવના ઓછી, No Repeat Theoryથી મતદાતા પર પડશે અસર?


  • Published By :
  • Published Date : 2024-03-02 11:44:08

એક તરફ લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ રાજકીય પાર્ટી ઉમેદવારોના નામોને લઈ બેઠકો કરી રહી છે. ભાજપ ગમે ત્યારે પ્રથમ યાદી ઉમેદવારોની જાહેર કરી શકે છે. ભાજપ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ગોવા તેમજ ઉત્તરાખંડની અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તેવી સંભાવનાઓ છે. ગુજરાતની લોકસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી  તે બાદ રાજ્યની પાર્લામેન્ટરી બેઠકમાં તે અંગે ચર્ચા થઈ અને તે બાદ દિલ્હી ખાતે ઉમેદવારોના નામની ચર્ચા થઈ. 


પીએમ મોદીના ચહેરાને જોઈ મતદાતાઓ કરતા હોય છે મતદાન!

ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયેલો છે. ગુજરાતની તમામ બેઠકો ભાજપ પાસે છે અને અનેક બેઠકો એવી છે જેના માટે ભાજપે વધારે મહેનત કરવાની જરૂર પણ નથી. અનેક મતદાતાઓ એવા હોય છે કે ઉમેદવારને જોઈને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને વોટ આપતા હોય છે. પોતાના વિસ્તારનો ઉમેદવાર ગમે તે કેમ ના હોય પરંતુ વોટ તો પીએમ મોદીના ચહેરા માટે મતદાતાઓ કરતા હોય છે. 


આ બે સીટ પર ઉમેદવારો ફાઈનલ જેવા!

ગુજરાતની બેઠકો માટે ચર્ચાઓ થઈ રહી છે કે મુખ્યત્વેની બેઠકો પર ભાજપ નો રિપીટ થિયરી અપનાવી શકે છે. નવા ચહેરાને ચાન્સ આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 15 બેઠકો એવી છે ગુજરાતની જ્યાં ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. ગુજરાતની બે ત્રણ બેઠકો એવી છે જ્યાંના ઉમેદવાર ફાઈનલ જેવા જ છે માત્ર ઘોષણા કરવાની બાકી છે સત્તાવાર રીતે. અમિત શાહ ગાંધીનગરથી, સી.આર.પાટીલ નવસારીથી જ્યારે જામનગર બેઠક પરથી પૂનમ માડમને ફરીથી રિપીટ કરાઈ શકે છે. અમિત શાહ તેમજ સી.આર.પાટીલની સીટ અંગે તો નક્કી જેવું છે પરંતુ પૂનમ માડમને લઈ ચર્ચાઓ થઈ રહી છે.



આટલા વર્તમાન સાંસદોની ભાજપ કાપી શકે છે ટિકીટ!   

 તે સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અમરેલીથી અને પરષોત્તમ રૂપાલા રાજકોટથી લોકસભા ચૂંટણી લડી શકે છે. રાજકોટથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉમેદવારી નોંધાવી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ આ વખતે કોના નામની જાહેરાત કરે છે. ગુજરાતના અનેક વર્તમાન સાંસદો એવા છે જેમના નામ કપાવાની સંભાવનાઓ રહેલી છે. સાંસદોની વાત કરીએ તો દર્શના જરદોશ, પરબત પટેલ, ભરતજી ડાભી, શારદાબેન પટેલ, પરભુ વસાવા, દીપસિંહ રાઠોડ, રતનસિંહ રાઠોડ, કિરીટ સોલંકી, રંજન ભટ્ટ, રાજેશ ચૂડાસમા, કે.સી.પટેલ, હસમુખ પટેલ, ગીતાબેન રાઠવા, નારણ કાછડિયા, મનસુખ વસાવાના નામો કપાવાની સંભાવના છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.