Loksabha Election : Gujaratની આટલી બેઠકો પર વર્તમાન સાંસદોને રિપીટ કરવાની સંભાવના ઓછી, No Repeat Theoryથી મતદાતા પર પડશે અસર?


  • Published By :
  • Published Date : 2024-03-02 11:44:08

એક તરફ લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ રાજકીય પાર્ટી ઉમેદવારોના નામોને લઈ બેઠકો કરી રહી છે. ભાજપ ગમે ત્યારે પ્રથમ યાદી ઉમેદવારોની જાહેર કરી શકે છે. ભાજપ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ગોવા તેમજ ઉત્તરાખંડની અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તેવી સંભાવનાઓ છે. ગુજરાતની લોકસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી  તે બાદ રાજ્યની પાર્લામેન્ટરી બેઠકમાં તે અંગે ચર્ચા થઈ અને તે બાદ દિલ્હી ખાતે ઉમેદવારોના નામની ચર્ચા થઈ. 


પીએમ મોદીના ચહેરાને જોઈ મતદાતાઓ કરતા હોય છે મતદાન!

ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયેલો છે. ગુજરાતની તમામ બેઠકો ભાજપ પાસે છે અને અનેક બેઠકો એવી છે જેના માટે ભાજપે વધારે મહેનત કરવાની જરૂર પણ નથી. અનેક મતદાતાઓ એવા હોય છે કે ઉમેદવારને જોઈને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને વોટ આપતા હોય છે. પોતાના વિસ્તારનો ઉમેદવાર ગમે તે કેમ ના હોય પરંતુ વોટ તો પીએમ મોદીના ચહેરા માટે મતદાતાઓ કરતા હોય છે. 


આ બે સીટ પર ઉમેદવારો ફાઈનલ જેવા!

ગુજરાતની બેઠકો માટે ચર્ચાઓ થઈ રહી છે કે મુખ્યત્વેની બેઠકો પર ભાજપ નો રિપીટ થિયરી અપનાવી શકે છે. નવા ચહેરાને ચાન્સ આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 15 બેઠકો એવી છે ગુજરાતની જ્યાં ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. ગુજરાતની બે ત્રણ બેઠકો એવી છે જ્યાંના ઉમેદવાર ફાઈનલ જેવા જ છે માત્ર ઘોષણા કરવાની બાકી છે સત્તાવાર રીતે. અમિત શાહ ગાંધીનગરથી, સી.આર.પાટીલ નવસારીથી જ્યારે જામનગર બેઠક પરથી પૂનમ માડમને ફરીથી રિપીટ કરાઈ શકે છે. અમિત શાહ તેમજ સી.આર.પાટીલની સીટ અંગે તો નક્કી જેવું છે પરંતુ પૂનમ માડમને લઈ ચર્ચાઓ થઈ રહી છે.



આટલા વર્તમાન સાંસદોની ભાજપ કાપી શકે છે ટિકીટ!   

 તે સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અમરેલીથી અને પરષોત્તમ રૂપાલા રાજકોટથી લોકસભા ચૂંટણી લડી શકે છે. રાજકોટથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉમેદવારી નોંધાવી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ આ વખતે કોના નામની જાહેરાત કરે છે. ગુજરાતના અનેક વર્તમાન સાંસદો એવા છે જેમના નામ કપાવાની સંભાવનાઓ રહેલી છે. સાંસદોની વાત કરીએ તો દર્શના જરદોશ, પરબત પટેલ, ભરતજી ડાભી, શારદાબેન પટેલ, પરભુ વસાવા, દીપસિંહ રાઠોડ, રતનસિંહ રાઠોડ, કિરીટ સોલંકી, રંજન ભટ્ટ, રાજેશ ચૂડાસમા, કે.સી.પટેલ, હસમુખ પટેલ, ગીતાબેન રાઠવા, નારણ કાછડિયા, મનસુખ વસાવાના નામો કપાવાની સંભાવના છે.       



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.