Loksabha Election : Gujaratમાં આ તારીખો બાદ PM Modi અને Amit Shah કરશે પ્રચાર, ગજવશે અનેક સભા કરશે અનેક રોડ શો!


  • Published By :
  • Published Date : 2024-04-23 16:32:49

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. તમામ બેઠકો પર ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે... ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એક બેઠક જીતી લીધી છે.. સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા પીએમ મોદી ગુજરાત આવવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય તે બાદ પ્રચાર માટે ગુજરાત આવશે અને ચારેય ઝોનમાં પ્રચાર કરશે. અનેક રોડ શો કરશે અને અનેક સભાને સંબોધશે...


ગુજરાતની એક બેઠક આવી છે ભાજપના ખાતામાં 

ભારતીય જનતા પાર્ટીએ આ વખત માટે 400 પારનો ટાર્ગેટ રાખ્યો છે. ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દાવો કરે છે કે તેઓ 5લાખની લીડથી જીત હાંસલ કરશે.. પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવી ગયો છે. પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.. સ્થાનિક નેતાઓ તો પ્રચાર કરી રહ્યા છે પરંતુ હવે પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ ગુજરાત આવવાના છે... મે મહિનાની શરૂઆતમાં પીએમ મોદી પણ ગુજરાતમા અનેક સભાઓ ગજવશે.. 


સ્ટાર પ્રચારકોની યાદી કરી હતી જાહેર 

ગુજરાતને ભારતીય જનતા પાર્ટી રાજકીય પ્રયોગશાળા માને છે... જે પ્રયોગ ગુજરાતમાં સફળ થાય તે પ્રયોગને અનેક બીજા રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવે છે.. સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ. મતદાન વગર સુરતને સાંસદ મળી ગયા છે. ત્યારે બાકી રહેલી બેઠકો પર ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલા પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અનેક દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થયો હતો. કેન્દ્રીય મંત્રીઓને પણ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં  આવ્યા છે. 


ગુજરાત સ્થાપના દિવસ પર પીએમ આવશે ગુજરાત! 

ત્યારે પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે.. 27 એપ્રિલથી 3 મે સુધી અમતિ શાહ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે.. પીએમ મોદી પણ મે મહિનાની શરૂઆતમાં ગુજરાત પ્રચાર માટે આવવાને છે.. મહત્વનું છે કે ચૂંટણીના થોડા દિવસ પહેલા ચૂંટણી કયા મુદ્દે લડાશે તેની ખબર ધીરે ધીરે પડવા લાગે છે..   

   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.