Loksabha Election : શું INDI ગઠબંધનને મળી રહી છે 295 સીટો? Exit Pollને લઈ Rahul Gandhi- Arvind Kejriwalએ આપી આ પ્રતિક્રિયા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-03 11:30:27

ચોથી જૂને લોકસભા ચૂંટણી માટેનું પરિણામ આવવાનું છે.. તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. પરંતુ શનિવારે સામે આવેલા એક્ઝિટ પોલ પર સૌ કોઈની નજર રહેલી હતી.. અનેક એક્ઝિટ પોલે એનડીએને 360-400 વચ્ચેની સીટ આપી છે.. એક્ઝિટ પોલને લઈ સામાન્ય માણસો શું વિચારે છે તે આપણે જાણીએ છીએ. પંતુ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ શું વિચારે છે તે તમે જાણો..લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનાવતી દેખાઈ રહી છે પણ ઈન્ડિ ગઠબંધનના નેતાઓ આ એક્સિટપોલના આંકડાઓ માનવાનો ઇનકાર કરે છે. બધા નેતાઓ પ્રતિક્રિયા આપે છે પણ આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ જે પ્રતિક્રિયા આપી એ ઇન્ટરેસ્ટિંગ છે...

રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલને લઈ કહ્યું કે... 

આ વખતનું પરિણામ રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે. એક તરફ એનડીએ છે તો બીજી તરફ INDIA છે. એક્ઝિટ પોલ એનડીએની તરફેણમાં આવ્યા છે જેને કારણે એનડીએના નેતા ખુશ છે જ્યારે આ એક્ઝિટ પોલથી ઈન્ડિ ગઠબંધનના નેતાઓ ના ખુશ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ એક્ઝિટ પોલને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મોદી પોલ છે એક્ઝિટ પોલ નથી મોદી મીડિયા પોલ છે. અને સાથે જ રાહુલ ગાંધીએ એક ગીતનો ઉલ્લેખ કર્યો. જ્યારે રાહુલ ગાંધીને ઇન્ડી ગઠબંધન બેઠકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું,"શું તમે સિદ્ધુ મૂઝવાલાનું ગીત 295? 295 સાંભળ્યું છે. 

ચોથી જૂને ખબર પડશે કોની બનશે સરકાર.. 

એટલે કે રાહુલ ગાંધી ઇન્ડી ગઠબંધન 295 સીટો પર જીતનો દાવો કરી રહ્યા છે. આ પહેલા 1 જૂનના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે 'ઈન્ડિયા' ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂરી થયા બાદ ‘ઈન્ડિયા ’ ગઠબંધનના નેતાઓએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં ખડગેએ ઈન્ડિયા એલાયન્સની 295+ સીટો પર જીતનો દાવો કર્યો હતો. તે સિવાય અરવિંદ કેજરીવાલે એક્ઝિટ પોલને લઈ દાવો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સને 295થી વધુ સીટો મળી રહી છે. ભાજપને 220થી ઓછી બેઠકો મળશે. કોને કેટલી સીટો મળશે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.