Loksabha Election : ઉમેદવારોના પ્રચાર માટે Arvind Kejriwalના પત્ની સુનીતા કેજરીવાલ આવી શકે છે Gujarat! સ્ટાર પ્રચારકની યાદીમાં છે સમાવેશ.


  • Published By :
  • Published Date : 2024-04-22 15:12:28

ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. આ બેઠક પર મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજરીવાલ, સંજયસિંહ, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના પ્રચારકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

સુનીતા કેજરીવાલ ગુજરાત આવી કરી શકે છે પ્રચાર   

છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટ ચર્ચામાં છે.. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનને કારણે આ બેઠકની ચર્ચા થઈ રહી છે પરંતુ બાકી એવી અનેક બેઠકો છે જેની ચર્ચા અવારનવાર થતી હોય છે.. ત્યારે આજે ચર્ચા ભરૂચ લોકસભા બેઠકની કરવી છે.. સામાન્ય રીતે આ બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે ઉમેદવારના નિવેદનોને કારણે. ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે. જે મુજબ ભાવનગર સીટ પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. 



કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાયા છે સાથે સાથે 

ઉમેદવારોના પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં સુનિતા કેજરીવાલના નામનો સમાવેશ છે. ત્યારે ચૈતર વસાવા તેમજ ઉમેશ મકાવણાના પ્રચાર માટે સુનીતા કેજરીવાલ ગુજરાત આવી શકે છે તેવું લાગી રહ્યું છે...ગઠબંધન થતા આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ અનેક વખત એકસાથે દેખાયા હતા. જ્યારે ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમની સાથે જોવા મળ્યા હતા ઉપરાંત જ્યારે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે દેખાયા હતા.. 


આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકના નામની કરી છે જાહેરાત 

મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામે ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે... ઉમેદવારો માટે પ્રચારની શરૂઆત થઈ ગઈ છે અને  આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત 40 લોકોના નામનો સમાવેશ કરવામાં  આવ્યો છે. પરંતુ સ્ટાર પ્રચારકના નામની જાહેરાત થયા બાદ આપમાં મોટો ઝટકો લાગ્યો છે.. અલ્પેશ કથીરિયાએ તેમજ ધાર્મિક માલવિયાએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.