Loksabha Election : BJPએ તો ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી પરંતુ Congress ક્યારે કરશે? સાંભળો આને લઈ Shaktisinh Gohilએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-04 11:18:52

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. શનિવારે ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે. 195માંથી ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન છે અને આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે કોંગ્રેસ પોતાના 24 ઉમેદવારોના નામની યાદી ક્યારે જાહેર કરશે? આ વાતનો જવાબ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યો છે. આવનાર થોડા દિવસોની અંદર ઉમેદવારોના નામની જાહેરાત થશે તેવી વાત તેમણે કહી છે. સંભવિત ઉમેદવારોના નામની વાત કરીએ તો કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર લોકસભા ચૂંટણી લડી શકે છે. તે સિવાય સંભવિત નામોની ચર્ચા કરી તો ડો. યોગેશ મેત્રક, ભરત મકવાણા અને રત્નાબેન વોરાનું નામ આ પેનલમાં સામેલ છે.

    

આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી!

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ 24 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાની છે પરંતુ તે ઉમેદવાર કોણ હશે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ભાજપ માટે તો ચર્ચાઓ થઈ રહી હતી કે આમને ઉમેદવાર બનાવાઈ શકાય છે, આમનું પત્તું કપાઈ શકે છે વગેરે વગેરે.... પરંતુ કોંગ્રેસ માટે આવું કહેવું કદાચ અઘરૂં છે કારણ કે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી હોય તેવો માહોલ નથી બન્યો જેટલો માહોલ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યો!  


7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી પહોંચશે ગુજરાત!

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધી 7 માર્ચથી 10 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતની અનેક બેઠકોને આવરી લેવામાં આવી છે રાહુલ ગાંધીની આ યાત્રામાં. એક તરફ ઉમેદવારોના નામોને લઈ અસમંજસ છે તો બીજી તરફ રાહુલ ગાંધીને ગુજરાત આવવામાં માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે 10 માર્ચ બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ગુજરાતથી નામો દિલ્હી પણ પહોંચી ગયા છે તેવી માહિતી સામે આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.