Loksabha Election : BJPએ વરુણ ગાંધીનું કાપ્યું પત્તુ, PILIBHIT બેઠક પર બહારથી આવેલા નેતાને બનાવ્યા ઉમેદવાર, વરૂણ ગાંધીને મળી કોંગ્રેસમાં જવાની ઓફર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-27 14:36:38

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની બેઠકો પરથી ઉમેદવાર જાહેર કરવામાં આક્રામકતા દાખવી છે , તો આ તરફ ઉત્તર પ્રદેશથી પીલીભીત લોકસભાના સિટીંગ સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી છે. અને કોંગ્રેસના આયાતી નેતા જીતીન પ્રસાદને BJPએ ટિકિટ આપી છે. પુત્રની ટિકીટ બીજેપીએ કાપી પરંતુ વરૂણ ગાંધીની માતા એટલે મેનકા ગાંધીને બીજેપીએ ટિકીટ આપી છે. મેનકા ગાંધી  સુલતાનપુર લોકસભા પરથી 2019થી સાંસદ છે અને બીજેપીએ તેમને ટિકીટ આપી દીધી છે. હવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

ભાજપમાંથી વરૂણ ગાંધી સાઈડ લાઈન થઈ ગયા! 

લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે વરૂણ ગાંધીને ટિકીટ નથી આપી. વરૂણ ગાંધી હાલ સાંસદ છે પરંતુ તેમને રિપીટ નથી કરવામાં આવ્યા.   જો વરુણ ગાંધીની વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટીના આક્રમકઃ નેતા છે, તેઓ ગાંધી પરિવારના સદસ્ય છે. ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના બે પુત્ર હતા.સંજય ગાંધી અને રાજીવ ગાંધી. સંજય ગાંધી ઈન્દિરા ગાંધીના ઉત્તરાધિકારી પણ હતા , વડાપ્રધાન ઈન્દિરા હતા પણ શાસન તો સંજય ગાંધી જ ચલાવતા. પણ સંજય ગાંધીનું ૧૯૮૦ના પ્લેન ક્રેશમાં અવસાન થયું . આ પછી સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી અને વરુણ ગાંધી સાઈડ લાઈન થઈ ગયા હતા.


અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસમાં આવવા માટે આપ્યું આમંત્રણ 

હવે હાલમાં BJPએ કેમ ટિકિટ કાપી વરુણ ગાંધીની તો સામે એવા કારણો આવી રહ્યા છે કે વરુણ ગાંધી પાછલા કેટલાક સમયથી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા હતા.અને લખીમ પૂર ખીરી વાળા કેસમાં તો તેમણે વર્તમાન કેન્દ્ર અને UPની BJPની સરકારની નિંદા કરી હતી. પાછળથી જોકે થોડાક સમય પેહલા વરુણ ગાંધીએ BJPના નેતાઓ સાથે મંચ શેર કર્યો હતો. અને PM મોદીની પ્રશંસા પણ કરી હતી . તો પણ તેમની ટિકિટ કાપવામાં આવી છે. તો આ તરફ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ ગયા બાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તેમને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. 


શા માટે કાપવામાં આવી ટિકીટ તે અંગે વાત કરીએ તો... 

જોકે વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીને તો BJPએ સુલતાનપુર લોકસભાથી રિપીટ કર્યા છે. એટલે કે BJP હાઈકમાન્ડે ફરી વિશ્વાસ મેનકા ગાંધીમાં બતાવ્યો છે . અહીં એક માહિતીએ પણ આવી રહી છે કે , BJPએ ONE FAMILY અને ONE TICKETનો નિયમ લાગુ કર્યો છે. તેથી પણ આ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ હોઈ શકે છે. અને હવે કદાચ વરુણ ગાંધી કોંગ્રેસ પ્રવેશ કરી, અમેઠી પરથી લડી શકે છે. તો હવે જોઈએ વરુણ ગાંધીનું આગળનું કદમ શું હોય શકે પણ જે હશે અમે તમને જણાવતા રહીશું ?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?