Loksabha Election : BJPએ વરુણ ગાંધીનું કાપ્યું પત્તુ, PILIBHIT બેઠક પર બહારથી આવેલા નેતાને બનાવ્યા ઉમેદવાર, વરૂણ ગાંધીને મળી કોંગ્રેસમાં જવાની ઓફર!


  • Published By :
  • Published Date : 2024-03-27 14:36:38

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની બેઠકો પરથી ઉમેદવાર જાહેર કરવામાં આક્રામકતા દાખવી છે , તો આ તરફ ઉત્તર પ્રદેશથી પીલીભીત લોકસભાના સિટીંગ સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી છે. અને કોંગ્રેસના આયાતી નેતા જીતીન પ્રસાદને BJPએ ટિકિટ આપી છે. પુત્રની ટિકીટ બીજેપીએ કાપી પરંતુ વરૂણ ગાંધીની માતા એટલે મેનકા ગાંધીને બીજેપીએ ટિકીટ આપી છે. મેનકા ગાંધી  સુલતાનપુર લોકસભા પરથી 2019થી સાંસદ છે અને બીજેપીએ તેમને ટિકીટ આપી દીધી છે. હવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

ભાજપમાંથી વરૂણ ગાંધી સાઈડ લાઈન થઈ ગયા! 

લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે વરૂણ ગાંધીને ટિકીટ નથી આપી. વરૂણ ગાંધી હાલ સાંસદ છે પરંતુ તેમને રિપીટ નથી કરવામાં આવ્યા.   જો વરુણ ગાંધીની વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટીના આક્રમકઃ નેતા છે, તેઓ ગાંધી પરિવારના સદસ્ય છે. ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના બે પુત્ર હતા.સંજય ગાંધી અને રાજીવ ગાંધી. સંજય ગાંધી ઈન્દિરા ગાંધીના ઉત્તરાધિકારી પણ હતા , વડાપ્રધાન ઈન્દિરા હતા પણ શાસન તો સંજય ગાંધી જ ચલાવતા. પણ સંજય ગાંધીનું ૧૯૮૦ના પ્લેન ક્રેશમાં અવસાન થયું . આ પછી સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી અને વરુણ ગાંધી સાઈડ લાઈન થઈ ગયા હતા.


અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસમાં આવવા માટે આપ્યું આમંત્રણ 

હવે હાલમાં BJPએ કેમ ટિકિટ કાપી વરુણ ગાંધીની તો સામે એવા કારણો આવી રહ્યા છે કે વરુણ ગાંધી પાછલા કેટલાક સમયથી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા હતા.અને લખીમ પૂર ખીરી વાળા કેસમાં તો તેમણે વર્તમાન કેન્દ્ર અને UPની BJPની સરકારની નિંદા કરી હતી. પાછળથી જોકે થોડાક સમય પેહલા વરુણ ગાંધીએ BJPના નેતાઓ સાથે મંચ શેર કર્યો હતો. અને PM મોદીની પ્રશંસા પણ કરી હતી . તો પણ તેમની ટિકિટ કાપવામાં આવી છે. તો આ તરફ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ ગયા બાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તેમને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. 


શા માટે કાપવામાં આવી ટિકીટ તે અંગે વાત કરીએ તો... 

જોકે વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીને તો BJPએ સુલતાનપુર લોકસભાથી રિપીટ કર્યા છે. એટલે કે BJP હાઈકમાન્ડે ફરી વિશ્વાસ મેનકા ગાંધીમાં બતાવ્યો છે . અહીં એક માહિતીએ પણ આવી રહી છે કે , BJPએ ONE FAMILY અને ONE TICKETનો નિયમ લાગુ કર્યો છે. તેથી પણ આ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ હોઈ શકે છે. અને હવે કદાચ વરુણ ગાંધી કોંગ્રેસ પ્રવેશ કરી, અમેઠી પરથી લડી શકે છે. તો હવે જોઈએ વરુણ ગાંધીનું આગળનું કદમ શું હોય શકે પણ જે હશે અમે તમને જણાવતા રહીશું ?



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.