Loksabha Election Result : Bharuchના સાંસદ ફરી બન્યા Mansukh Vasava! Chaitar Vasavaએ સ્વીકારી હાર...


  • Published By :
  • Published Date : 2024-06-04 16:26:49

ગુજરાતમાં લોકસભાની અનેક બેઠકો એવી હતી જેની ચર્ચાઓ ક્યારની થતી હતી.. અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા તો ચર્ચામાં હતી પરંતુ તેની સાથે સાથે ભરૂચ લોકસભા બેઠક પણ ચર્ચામાં હતી. મનસુખ વસાવાને ભાજપે ટિકીટ આપી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી. ચૂંટણીનો માહોલ ચૈતર વસાવાએ સારો બનાવ્યો હતો પરંતુ તે માહોલ, સભામાં એકત્રિત થતી ભીડ વોટમાં પરિવર્તિત ના થઈ. મનસુખ વસાવા ફરીથી ભરૂચના સાંસદ બન્યા છે....

ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની થઈ જીત

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. એક બેઠક હતી ભરૂચની અને એક બેઠક હતી ભાવનગરની.. ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જ્યારે ભાવનગરમાં ઉમેશ મકવાણાની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ હતી. આ બંને બેઠકો પર ઉભા રહેલા ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતી ગયા છે જ્યારે ભરૂચમાં પણ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે.


ચૈતર વસાવાએ સ્વીકારી લીધી હાર!  

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. મનસુખ વસાવાને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા. આ વખતે એવું લાગતું હતું કે ચૈતર વસાવા ટફ ફાઈટ આપી શકે છે મનસુખ વસાવાને પરંતુ તે ના થયું.. મનસુખ વસાવા ફરીથી જીતી ગયા અને તે ભરૂચના સાંસદ બની ગયા.. ચૈતર વસાવાએ હાર માની લીધી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.