Loksabha Election Result : Bharuchના સાંસદ ફરી બન્યા Mansukh Vasava! Chaitar Vasavaએ સ્વીકારી હાર...


  • Published By :
  • Published Date : 2024-06-04 16:26:49

ગુજરાતમાં લોકસભાની અનેક બેઠકો એવી હતી જેની ચર્ચાઓ ક્યારની થતી હતી.. અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા તો ચર્ચામાં હતી પરંતુ તેની સાથે સાથે ભરૂચ લોકસભા બેઠક પણ ચર્ચામાં હતી. મનસુખ વસાવાને ભાજપે ટિકીટ આપી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી. ચૂંટણીનો માહોલ ચૈતર વસાવાએ સારો બનાવ્યો હતો પરંતુ તે માહોલ, સભામાં એકત્રિત થતી ભીડ વોટમાં પરિવર્તિત ના થઈ. મનસુખ વસાવા ફરીથી ભરૂચના સાંસદ બન્યા છે....

ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની થઈ જીત

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. એક બેઠક હતી ભરૂચની અને એક બેઠક હતી ભાવનગરની.. ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જ્યારે ભાવનગરમાં ઉમેશ મકવાણાની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ હતી. આ બંને બેઠકો પર ઉભા રહેલા ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતી ગયા છે જ્યારે ભરૂચમાં પણ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે.


ચૈતર વસાવાએ સ્વીકારી લીધી હાર!  

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. મનસુખ વસાવાને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા. આ વખતે એવું લાગતું હતું કે ચૈતર વસાવા ટફ ફાઈટ આપી શકે છે મનસુખ વસાવાને પરંતુ તે ના થયું.. મનસુખ વસાવા ફરીથી જીતી ગયા અને તે ભરૂચના સાંસદ બની ગયા.. ચૈતર વસાવાએ હાર માની લીધી હતી. 



ડોનાલ્ડ ટ્રમ્પએ જે "ટેરિફ વિસ્ફોટ" કર્યો છે હવે તેની સામે વિશ્વના દેશોએ અલગ અલગ તૈયારી કરી છે જેમ કે ચાઇના આ ટેરિફને લઇને કાઉન્ટર ટેરિફ અમેરિકા પર લગાવશે જયારે ઓસ્ટ્રેલિયા ટ્રમ્પ સાથે ચર્ચા કરશે .

હવે અમેરિકા આ બધા જ દેશ પર કેટલો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ભારત,અમેરિકન વસ્તુઓ ઉપર ૫૨% ટેરિફ લગાડે છે,જયારે હવે અમેરિકા ડીસ્કાઉન્ટ સાથે હવેથી ભારતની અમેરિકામાં થતી નિકાસો ૨૬% ટેરિફ વસુલશે.વ્હાઇટ હાઉસ દ્વારા આ ટેરિફ અમલીકરણ એપ્રિલની ૫મી તારીખથી શરુ થશે.અમેરિકાએ આ તમામ દેશ ઉપર ૧૦% ફ્લેટ ટેરિફ લગાડ્યો છે. આ ટેરીફનો અમલ એપ્રિલની ૯મી તારીખથી શરુ થશે.ભારત માટે શરૂઆતમાં ૫મી એપ્રિલથી ૧૦ ટકા ટેરિફ લાગશે અને પછી એપ્રિલની ૯મી તારીખથી બીજો ૧૬ ટકા ટેરિફ ઉમેરાશે. આમ ભારત ઉપર ટોટલ ૨૬ ટકા ટેરીફનું અમલીકરણ શરુ થઈ જશે.

સચિન અને શૈલેન્દ્રસિંહે બંને મળ્યા હતા જ્યાં વાતે વાતમાં શૈલેન્દ્રસિંહે સચિનની પત્નીના ફોટા બતાવ્યા હતાં. સચિને ફોન માંથી એની પત્નીના ફોટાને ડિલીટ કરવાનું કહ્યું, આ આનાકાની વણસી એટલે બંને વચ્ચે લીધેલી લોન અંગે વાત પહોંચી હતી. ગરમાગરમીમાં વાત વણસી જતાં શૈલેન્દ્રસિંહે એની પાસે પડેલા ચાકુથી, સચિનના ગળાના ભાગ પર હુમલો કર્યો. શૈલેન્દ્રસિંહે સચિન મરી ગયા બાદ એના શબને ઠેકાણે પાડવા માટે એના શરીરના અંગને એક એક કરીને કટર થી કાપવાનું શરૂ કર્યું. અને એક દિવસે એક અંગને થેલીમાં ભરીને ગટરમાં નાખ્યાં હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ૧૦,૦૦૦ આરોગ્ય કર્મચારીઓને છૂટા કર્યા છે. તો આ તરફ ચિલીના રાષ્ટ્રપતિ ભારત આવ્યા છે તેમણે ભારત સાથે આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની પહેલ કરી છે. વાત કરીએ આપણા પાડોશી દેશ મ્યાનમારની તો , ત્યાં ભૂકંપના લીધે મૃત્યુનો આંક ૨૭૦૦ને પાર થવાની સંભાવના છે.