Loksabha election 6th Phase voting : 8 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો માટે ચાલી રહ્યું છે મતદાન, જાણો ક્યાં કેટલું નોંધાયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-25 16:00:17

દેશમાં લોકસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે.. સાત ચરણોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છે એમાંથી આજે છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. 8 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની 58 સીટો માટે મતદાન થઈ રહ્યું અને આજે 889 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે.. બિહારની આઠ, હરિયાણાની 10, ઝારખંડની 4, દિલ્હીની તમામ બેઠકો એટલે કે 7 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. તે ઉપરાંત ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થવાનું છે.

ક્યાં કેટલું નોંધાયું મતદાન 3 વાગ્યા સુધી? 

3 વાગ્યા સુધીમાં બિહારમાં 45.21 ટકા મતદાન થયું છે, હરિયાણામાં 46.26 ટકા મતદાન થયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં 44.41 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં 54.34 ટકા મતદાન જ્યારે દિલ્હીમાં 44.58 ટકા મતદાન થયું છે. ઓડિશામાં 48.44 ટકા મતદાન થયું છે.  ઉત્તર પ્રદેશમાં 43.95 ટકા મતદાન થયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 70.19 ટકા મતદાન થયું છે.. 49.2 સરેરાશ મતદાન ત્રણ વાગ્યા સુધીમાં થયું છે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠકો પર..         



આ દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે થશે ફેંસલો 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને નિવેદન આપ્યું છે.. મહત્વનું છે કે અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે.. ત્રણ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન, કૃષ્ણ પાલ સિંહ ગુર્જર તેમજ રાવ ઈન્દ્રજીત સિંહના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે.. તે સિવાય મહેબૂબા મુફ્તી, મનોહર લાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્બર, નિરહુઆના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે...



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે