Loksabha Election 5th Phase: પશ્ચિમ બંગાળમાં પાંચ વાગ્યા સુધી નોંધાયું સૌથી વધારે મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-20 18:14:01

લોકસભા ચૂંટણી માટે આજે પાંચમા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. ચાર તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને પાંચમા તબક્કા માટે મતદાન પૂર્ણ થવાને માત્ર થોડો જ સમય બાકી રહ્યો છે. 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થઈ રહ્યો છે. રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે. સાંજે પાંચ વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો સરેરાશ 56.68 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન થયું છે. 


આ રાજ્યોની આટલી બેઠકો માટે થયું મતદાન 

લોકશાહીના મહા પર્વની ઉજવણી ભારતમાં થઈ રહી છે.. મતદાનની પ્રક્રિયા શરૂ છે. પાંચમા તબક્કા અંતર્ગત 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે. પાંચ વાગે નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 52.35 ટકા મતદાન નોંધાયું છે, જમ્મુ કાશ્મીરમાં 54.21 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં 61.90 ટકા મતદાન થયું છે. 


શરૂઆતમાં મતદાનમાં દેખાઈ નિરસતા

તે સિવાય લદ્દાખમાં 67.15 ટકા મતદાન નોંધાયું છે.. મહારાષ્ટ્રમાં 48.66 ટકા મતદાન જ્યારે ઓડિશામાં 60.55 ટકા મતદાન નોંધાયું છે.. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં પાંચ વાગ્યા સુધી 55.80 ટકા મતદાન થયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન 73.00 ટકા થયું છે..  મહત્વનું છે કે મતદાનની શરૂઆત થઈ ત્યારે મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી. જોવું રહ્યું કે મતદાતાઓ કોને જીતાડે છે? ચોથી જૂને પરિણામ આવવાનું છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે