Loksabha Election 2024: Valsad બેઠક પર જે જીતે તેની બને છે સરકાર, કોણ છે બાજીગર? સમજો વિગતવાર આ બેઠકના રાજકીય સમીકરણને...


  • Published By :
  • Published Date : 2024-03-20 11:19:13

રાજનીતિમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી હોતું પરંતુ અનેક માન્યતાઓ એવી હોય છે જેને રાજકીય પક્ષો તેમજ લોકો માનતા હોય છે! લોકસભા ચૂંટણીને લઈ રણશિંગુ ફુંકાઈ ગયું છે અને રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જ્યારે કોંગ્રેસે 6 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લોકસભા જીતવા માટે બંને પક્ષો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે વાત કરીશું એવી લોકસભા બેઠકની જેના તાર સીધા કેન્દ્રમાં બનતી સરકાર સાથે જોડાયેલા છે! એવું માનવામાં આવે છે કે વલસાડ બેઠક પર જે જીતે છે તેની સરકાર બને છે. એવું કહેવાય છે કે જે પણ પક્ષનો ઉમેદવાર અહીંયાથી જીત્યો તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે.  

જે પક્ષના ઉમેદવાર આ સીટ પર જીતે છે તે પક્ષની કેન્દ્રમાં બને છે સરકાર!

વલસાડ બેઠકની વાત કરીએ તો આ બેઠક મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીને અડીને આવેલી બેઠક છે. 1962થી આ વાત સાચી સાબિત થાય છે કે જે ઉમેદવાર આ બેઠક પરથી જીતે છે તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે. એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી જનતા દળ હોય.. બીજી વિશેષતા એવી છે આ બેઠકની કે કોઈ પક્ષ માટે આ બેઠક ક્યારેય વફાદાર નથી રહી. આદિવાસી બહુમલક ધરાવતી આ બેઠક જાણીતિ છે તેની લોકવાયકાને કારણે. સમગ્ર દેશની નજર આ બેઠક પર હોય છે. વર્ષ 2004 અને 2009ની ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી. અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી. તો 2019 અને 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની થઈ હતી. કે.સી. પટેલ વિજેતા બન્યા હતા અને તે વખતે એનડીએની સરકાર બની હતી. આ વખતે ભાજપે નવા ચહેરાને મોકો આપ્યો છે. કે.સી.પટેલનું પત્તુ આ વખતે કપાયું છે.  

આ લોકસભા બેઠક પર થવાનો છે આ બંને ઉમેદવાર વચ્ચે જંગ!

બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે આરક્ષિત છે. ગુજરાતના રાજકારણમાં આ બેઠક બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. ભાજપના ઉમેદવાર કે.સી.પટેલે 2014 અને 2019માં ચૂંટણા લડી અને ભાજપની જીત થઈ. કપરાડાનો પણ આ બેઠકમાં સમાવેશ થાય છે. વલસાડ બેઠક પર કોંગ્રેસે ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે જ્યારે ભાજપ દ્વારા ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે.  બીજેપીએ અહિયાં જાતિગત સમીકરણ પર પણ ધ્યાન આપ્યું છે વલસાડ લોકસભામાં ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિનું પ્રભુત્વ છે એટલે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે એટલે ત્યાં અનંત પટેલ અને ધવલ પટેલની ટક્કર રહેવાની છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.