Loksabha: Congress ઉમેદવારોની યાદી કરી શકે છે જાહેર, Amit Chavda, Tushar Chaudhary તેમજ ગુલાબસિંહ સહિતના નેતાઓ ક્યાંથી લડી શકે છે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-03-20 14:24:22

ભાજપે તો 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગમે ત્યારે કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે અને આ બધા વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે અનેક ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે! ઉમેદવારોના નામ અંગેની વાત કરીએ તો આંણદથી કોંગ્રેસે અમિત ચાવડા, સાબરકાંઠા તુષાર ચૌધરીની ટિકિટ નક્કી છે જ્યારે  પંચમહાલથી ગુલાબસિંહને કોંગ્રેસ, અમરેલીથી જેની ઠુમ્મરને ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે. પાટણથી ચંદનજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે.  


કોંગ્રેસ ઉમેદવારોના નામની કરી શકે છે ઘોષણા  

જ્યારે જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે ત્યારે મતદાતાઓને ઉમેદવારોના નામની ઈંતેઝારી રહેતી હોય છે. કઈ પાર્ટી કોને ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતારશે તે વાત પર સૌ કોઈની નજર રહેલી હોય છે.. ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવાર કોને બનાવવા તે માટે ચર્ચાઓ થઈ રહી છે. ઉમેદવારોને પસંદ કરતા પહેલા દરેક પાસા પર પાર્ટી દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસે ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. થોડા સમયની અંદર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. ઉમેદવરાોનું વધુ એક લિસ્ટ કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી શકે છે અને તેમાં ગુજરાતના 8થી 10 ઉમેદવારો હોવાની સંભાવનાઓ છે. 


કોના નામોની થઈ રહી છે ચર્ચા? 

કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને ટિકીટ આપી રહી છે. ધારાસભ્યોને ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા છે. એ અનંત પટેલ હોય કે પછી ગેનીબેન ઠાકોર હોય. વધુ ધારાસભ્યોને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. સંભવિત નામોની વાત કરીએ તો આંણદથી કોંગ્રેસે અમિત ચાવડા, સાબરકાંઠા તુષાર ચૌધરીની ટિકિટ નક્કી છે જ્યારે  પંચમહાલથી ગુલાબસિંહને તો અમરેલીથી જેની ઠુમ્મરને ઉમેદવાર ઘોષિત કરવામાં આવી શકે છે. પાટણથી ચંદનજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે. ખેડા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી , છોટાઉદેપુર સુખરામ રાઠવા ,  સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈ, ગાંધીનગર બેઠક પર મહિલા ઉમેદવાર તરીકે સોનલબેન પટેલનું નામ પણ નક્કી જેવુ છે. મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરના નામની ચર્ચા થઇ રહી છે હવે કોંગ્રેસના મંથન બાદ આ નામોની જાહેરાત થાય તેના પર બધાની નજર છે 


આપ અને કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે ગઠબંધન

એક તરફ આવી ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે લોકસભાની અનેક બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. સુરત, દાહોદ તેમજ જૂનાગઢ માટે આપ સાથે ગઠબંધન કોંગ્રેસ કરી શકે છે. ત્યારે જોવું રહ્યું કે રાજનીતિના આ ખેલમાં આગળ શું થાય છે.?    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.