લોકસભા ચૂંટણી: સમાજવાદી પાર્ટીએ વધુ 11 ઉમેદવારોના નામની કરી જાહેરાત, કુલ 27 કેન્ડિડેટ જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-19 16:36:14

સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ મુઝફ્ફરનગર, ગાઝીપુર જેવી મહત્વની સીટો પર પણ ઉમેદવારો ઉતાર્યા છે. મુઝફ્ફરનગરથી હરેન્દ્ર મલિકને ટિકિટ આપવામાં આવી છે અને ગાઝીપુર લોકસભા સીટ માટે મુખ્તાર અંસારીના ભાઈ અફઝાલ અંસારીની પસંદગી કરવામાં આવી છે. 



આ નેતાઓને પણ મળી ટિકિટ


સમાજવાદી પાર્ટીએ શાહજહાપુરથી રાજેશ કશ્યપ, હરદોઈથી ઉષા વર્મા, મિશ્રિખ લોકસભા સીટથી રામપાલ રાજવંશી, મોહનલાલગંજથી આરકે ચૌધરી, પ્રતાપ ગઢથી એસપી સિંહ બઘેલ, બહરાઈચથી રમેશ ગૌતમ, ગૌંડાથી શ્રેયા વર્મા, ચંદોલીથી વીરેન્દ્ર સિંહ અને આંવલા લોકસભા સીટથી નીરજ મૌર્યને ટિકિટ આપવામાં આવી છે.  

 

કુલ 27 ઉમેદવારો જાહેર


સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 27 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પૂર્વે 30 જાન્યુઆરીએ પાર્ટી દ્વારા 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી યાદીમાં ડિમ્પલ યાદવ મૈનપુરીથી, શફીકુર રહેમાન બર્કને સંભલ, અને રવિદાસ મહરોત્રાને લખનઉ લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામા આવ્યા છે. સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટોમાંથી અત્યાર સુધીમાં કુલ 27 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે