લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ અપનાવશે 'નો રિપીટ થિયરી', કયા સાંસદ થશે ઘરભેગા?


  • Published By :
  • Published Date : 2023-01-31 21:22:30

ભાજપે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપને ત્રિપાંખિયા જંગનો સામનો કરવો પડશે. ભાજપે નેતા નેતાઓને ચૂંટણી માટે સંગઠનને મજબુત બનાવવા તથા પેજ પ્રમુખની સ્ટ્રેટેજીનો ચુસ્તપણે અમલ કરવા માટે કામે લગાડી દીધા છે. ભાજપને હિંદી બેલ્ટમાં કોઈ મોટા ચમત્કારની આશા નથી. આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભાની સીટો જીતવા માટે સંકલ્પબધ્ધ છે.


લોક સભાની ચૂંટણીમાં નો રિપીટ થીયરી


ભાજપ લોકસભાની ચૂંટણી માટે પણ વિધાનસભાની ચૂંટણી જેવી જ સ્ટ્રેટેજી અપનાવશે. ભાજપ આ વખતે ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળ, મોહનભાઈ કુંડારીયા, નારાયણભાઈ કાછડિયાનું પત્તું કાપશે તેવું પાર્ટી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તે જ પ્રકારે ભાજપ કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવાના મૂડમાં નથી. તેમને પોતાની લોકસભાની સીટો નક્કી કરવાનું કહીં દેવામાં આવ્યું છે. મનસુખ માંડવિયા ભાવનગર અને પરષોત્તમ રૂપાલા રાજકોટની સીટ પરથી ચૂંટણી લડે તેવું મનાય છે. હવે આવી સ્થિતિમાં, કેટલાક વર્તમાન સાંસદોની બેઠકોમાં માત્ર ફેરબદલ થશે નહીં, પરંતુ કેટલાકને પડતા મૂકવામાં આવી શકે છે અથવા તેમને અન્ય જગ્યાએ ગોઠવવામાં આવી શકે છે.


પાર્ટીમાં બળવાખોરીની આશંકા


વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક નેતાઓને ટિકિટ ન મળતા અસંતોષ જોવા મળ્યો હતો અને કેટવાક ધારાસભ્યોએ પાર્ટીની શિસ્તની ઐસીતૈસી કરીને પણ ચૂંટણી લડી હતી. હવે જો આવી જ સ્થિતી લોકસભાની ચૂંટણીમાં સર્જાય તો ભાજપને મોટો ફટકો પડી શકે છે. આ કારણે જ ભાજપના ટોચના નેતાઓ ફુંકી-ફુંકીને રણનિતી બનાવી રહ્યા છે.  




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.