લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ અપનાવશે 'નો રિપીટ થિયરી', કયા સાંસદ થશે ઘરભેગા?


  • Published By :
  • Published Date : 2023-01-31 21:22:30

ભાજપે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપને ત્રિપાંખિયા જંગનો સામનો કરવો પડશે. ભાજપે નેતા નેતાઓને ચૂંટણી માટે સંગઠનને મજબુત બનાવવા તથા પેજ પ્રમુખની સ્ટ્રેટેજીનો ચુસ્તપણે અમલ કરવા માટે કામે લગાડી દીધા છે. ભાજપને હિંદી બેલ્ટમાં કોઈ મોટા ચમત્કારની આશા નથી. આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભાની સીટો જીતવા માટે સંકલ્પબધ્ધ છે.


લોક સભાની ચૂંટણીમાં નો રિપીટ થીયરી


ભાજપ લોકસભાની ચૂંટણી માટે પણ વિધાનસભાની ચૂંટણી જેવી જ સ્ટ્રેટેજી અપનાવશે. ભાજપ આ વખતે ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળ, મોહનભાઈ કુંડારીયા, નારાયણભાઈ કાછડિયાનું પત્તું કાપશે તેવું પાર્ટી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તે જ પ્રકારે ભાજપ કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવાના મૂડમાં નથી. તેમને પોતાની લોકસભાની સીટો નક્કી કરવાનું કહીં દેવામાં આવ્યું છે. મનસુખ માંડવિયા ભાવનગર અને પરષોત્તમ રૂપાલા રાજકોટની સીટ પરથી ચૂંટણી લડે તેવું મનાય છે. હવે આવી સ્થિતિમાં, કેટલાક વર્તમાન સાંસદોની બેઠકોમાં માત્ર ફેરબદલ થશે નહીં, પરંતુ કેટલાકને પડતા મૂકવામાં આવી શકે છે અથવા તેમને અન્ય જગ્યાએ ગોઠવવામાં આવી શકે છે.


પાર્ટીમાં બળવાખોરીની આશંકા


વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક નેતાઓને ટિકિટ ન મળતા અસંતોષ જોવા મળ્યો હતો અને કેટવાક ધારાસભ્યોએ પાર્ટીની શિસ્તની ઐસીતૈસી કરીને પણ ચૂંટણી લડી હતી. હવે જો આવી જ સ્થિતી લોકસભાની ચૂંટણીમાં સર્જાય તો ભાજપને મોટો ફટકો પડી શકે છે. આ કારણે જ ભાજપના ટોચના નેતાઓ ફુંકી-ફુંકીને રણનિતી બનાવી રહ્યા છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.