લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ અપનાવશે 'નો રિપીટ થિયરી', કયા સાંસદ થશે ઘરભેગા?


  • Published By :
  • Published Date : 2023-01-31 21:22:30

ભાજપે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપને ત્રિપાંખિયા જંગનો સામનો કરવો પડશે. ભાજપે નેતા નેતાઓને ચૂંટણી માટે સંગઠનને મજબુત બનાવવા તથા પેજ પ્રમુખની સ્ટ્રેટેજીનો ચુસ્તપણે અમલ કરવા માટે કામે લગાડી દીધા છે. ભાજપને હિંદી બેલ્ટમાં કોઈ મોટા ચમત્કારની આશા નથી. આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભાની સીટો જીતવા માટે સંકલ્પબધ્ધ છે.


લોક સભાની ચૂંટણીમાં નો રિપીટ થીયરી


ભાજપ લોકસભાની ચૂંટણી માટે પણ વિધાનસભાની ચૂંટણી જેવી જ સ્ટ્રેટેજી અપનાવશે. ભાજપ આ વખતે ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળ, મોહનભાઈ કુંડારીયા, નારાયણભાઈ કાછડિયાનું પત્તું કાપશે તેવું પાર્ટી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તે જ પ્રકારે ભાજપ કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવાના મૂડમાં નથી. તેમને પોતાની લોકસભાની સીટો નક્કી કરવાનું કહીં દેવામાં આવ્યું છે. મનસુખ માંડવિયા ભાવનગર અને પરષોત્તમ રૂપાલા રાજકોટની સીટ પરથી ચૂંટણી લડે તેવું મનાય છે. હવે આવી સ્થિતિમાં, કેટલાક વર્તમાન સાંસદોની બેઠકોમાં માત્ર ફેરબદલ થશે નહીં, પરંતુ કેટલાકને પડતા મૂકવામાં આવી શકે છે અથવા તેમને અન્ય જગ્યાએ ગોઠવવામાં આવી શકે છે.


પાર્ટીમાં બળવાખોરીની આશંકા


વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક નેતાઓને ટિકિટ ન મળતા અસંતોષ જોવા મળ્યો હતો અને કેટવાક ધારાસભ્યોએ પાર્ટીની શિસ્તની ઐસીતૈસી કરીને પણ ચૂંટણી લડી હતી. હવે જો આવી જ સ્થિતી લોકસભાની ચૂંટણીમાં સર્જાય તો ભાજપને મોટો ફટકો પડી શકે છે. આ કારણે જ ભાજપના ટોચના નેતાઓ ફુંકી-ફુંકીને રણનિતી બનાવી રહ્યા છે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!