Lok Sabha Elections: ભાજપની નજર રાજ્યના યુવા મતદારો પર, યુવાનોને રિઝવવા માટે યોજશે આ કાર્યક્રમો


  • Published By :
  • Published Date : 2024-01-26 16:54:23

આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે તમામ રાજ્યો માટે અલગ-અલગ રણનિતી અપનાવી છે. જેમ કે ગુજરાતમાં ભાજપના નેતાઓનું મુખ્ય ફોકસ યુવા મતદારો પર છે. ભાજપને રાજ્યની તમામ 26 લોકસભા સીટો 5 લાખથી વધુના માર્જીનથી જીતવા માટે ખાસ સ્ટ્રેટેજી અપનાવી છે. જે મુજબ ભાજપે રાજ્યના 40 લાખ યુવાનોને રિઝવવા માટે પાર્ટીના યુવા મોરચાને કામે લગાડ્યો છે. રાજ્યમાં 18થી 22 વર્ષના 25 લાખ જેટલા યુવા મતદારો છે. રાજ્યમાં યુવા અને મહિલા મતદારોની સંખ્યા વધી છે, આ એટલી મોટી જનસંખ્યા છે કે તે તમામ પાર્ટીઓ માટે ચૂંટણી જીતવા માટે મહત્વની બની રહેશે. 


રાજ્યમાં યોજાશે વિવિધ કાર્યક્રમો

ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા સીટોમાં યુવા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી રણનિતી અપનાવી છે. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવશે. જેમ કે માય ફર્સ્ટ વોટ ફોર મોદી, યુવા અડ્ડા કાર્યક્રમ, યુવા ચોપાલ કાર્યકર, નુક્કડ ચર્ચા સહિતના કાર્યક્રમો યોજાશે. તે ઉપરાંત યુથ આઇકોનને વિકસિત ભારતના એમ્બેસેડર બનાવવા સહિતની ઈવેન્ટ પણ યોજવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહે તે માટે વાહન સુવિધા પણ ભાજપના યુવા મોરચાનના કાર્યકરો દ્વારા પુરી પાડવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.