Lok sabha Election : ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ નહી કરે ઉજવણી! જાણો શા માટે ભાજપે લીધો આ નિર્ણય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 18:37:22

દેશમાં આવતી કાલે લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે.. અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આવતી કાલે ઈવીએમમાં કેદ થવાના છે.. 6 તબક્કા પૂર્ણ થઈ ગયા છે મતદાનના અને આવતી કાલે અંતિમ તબક્કો છે.. ચોથી તારીખે મતગણતરી થવાની છે.. ગુજરાતના રિઝલ્ટ પર સૌ કોઈની નજર રહેલી છે.. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. 


પરિણામો બાદ ગુજરાત ભાજપ નહીં કરે ઉજવણી 

આ બધા વચ્ચે સૂત્રો પાસેથી મળતા સમાચાર અનુસાર લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે.. સાદગીથી જીતને વધાવવામાં આવશે.. કોઈ સરઘસ કાઢવામાં નહીં આવે તેવી માહિતી સામે આવી છે.. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈ આ નિર્ણય લેવાયો છે તેવી માહિતી સામે આવી છે.. હજી સુધી એવી માહિતી સામે આવી હતી કે રાજકોટમાં ભાજપ ઉજવણી નહીં કરે પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે જ્યાં ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે... મહત્વનું છે કે શનિવારે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા... 27 જેટલી જિંદગીઓ ભૂંજાઈ ગઈ..આ મામલે ભાજપના અનેક નેતાઓ મૌન છે. આ ઘટનાને પગલે એસઆઈટીની રચના કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરશે..    


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતની તમામે તમામ 26 બઠકો ભાજપ પાસે છે.. આ વખતે પણ ભાજપ 26એ 26 બેઠક જીતશે તેવો આશાવાદ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાંચ લાખની લીડનો ટાર્ગેટ ગુજરાતના ભાજપના નેતાઓએ રાખ્યો છે.. આ વખતે ચૂંટણી થાય તે પહેલા જ સુરતની સીટ ભાજપના ફાળે આવી ગઈ છે.. મહત્વનું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.. ગુજરાતમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. બે બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા બાકી બીજી બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.   


કઈ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર?

ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને.. આણંદમાં અમિત ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા. તે સિવાય સૌ કોઈની નજર રાજકોટ બેઠકના પરિણામ પર પણ રહેશે કારણે કે ત્યાં ભાજપેના પરષોત્તમ રૂપાલા અનેક પરેશ ધાનાણી વચ્ચે ટક્કર થવાની છે. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને કારણે ગુજરાત ભાજપ પરિણામ બાદ ઉજવણી નહીં કરે તેવી વાત સામે આવી છે.. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.