મહારાષ્ટ્રમાં BJPને અજીત પવારની શું જરૂર પડી, જાણો ભાજપની રણનીતિ શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-02 19:44:34

મહારાષ્ટ્રમાં શિવસેનાના વિભાજન પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પણ હવે તે જ માર્ગ પર છે, અજિત પવારે છેલ્લા 12 વર્ષમાં પાંચમી વખત નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. પોતાની પહેલી પ્રતિક્રિયામાં તેમણે PM મોદીના વખાણ કર્યા છે અને મહારાષ્ટ્રના વિકાસ માટે ભાજપ સાથે આવવાની વાત કરી છે. તો બદલામાં તેમને એક સારા વહીવટકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા છે, પરંતુ આ બધા વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે ભાજપને અજિત પવારની જરૂર કેમ પડી? તો જવાબ એકદમ સરળ છે કે ભાજપ 2024માં કોઈ નુકસાન ઉઠાવવા માંગતી નથી. વર્ષ 2024માં પહેલીવાર ભાજપ તેના પરંપરાગત સહયોગી ઠાકરે પરિવારથી અલગ થઈને લોકસભાની ચૂંટણી લડશે.


ભાજપ માટે મહારાષ્ટ્ર કેમ મહત્વનું છે?


યુપી પછી મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં લોકસભાની સૌથી વધુ 48 બેઠકો છે. ભાજપે ગત ચૂંટણીમાં શિવસેના સાથે ગઠબંધન કરીને 41 બેઠકો જીતી હતી. એનસીપીને 4 અને કોંગ્રેસ અને એઆઈએમઆઈએમને 1-1 સીટ મળી છે. એક બેઠક પર અપક્ષ નવનીત રાણાનો વિજય થયો હતો. 41 બેઠકોમાં ભાજપને 23 અને શિવસેનાને 18 બેઠકો મળી હતી. ભાજપે 25 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 23 બેઠકો જીતી હતી. તો બીજી તરફ શિવસેનાએ 23 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 18 બેઠકો જીતી હતી.


શું છે ભાજપનો પ્લાન?


વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ મહારાષ્ટ્રમાં તેના પગ ફેલાવવા માંગે છે અને તે ઉપરાંત ઠાકરે પરિવારથી થનારા નુકસાનને ટાળવા માંગે છે. આવી સ્થિતિમાં, જ્યારે પાર્ટી આ વખતે 400ને પાર કરવાનો નારા લગાવી રહી છે, ત્યારે પાર્ટી તેની લોકસભા બેઠકોની સંખ્યા કોઈ પણ સંજોગોમાં ઘટવા દેવા માંગતી નથી. અજિત પવાર સાથે હાથ મિલાવવા પાછળના કારણો ગમે તે હોય, પણ ભાજપ મિશન 2024ને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. જો પવાર અને ઉદ્ધવ નબળા હશે તો ભાજપની રાજકીય સ્થિતિ સારી રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે