બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાને કરાઈ સ્થગિત, રાહુલ ગાંધી અને અદાણી મુદ્દાને લઈ થયો હતો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-03-20 12:28:33

હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોઈને કોઈ મુદ્દે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. આજે ફરી એક વખત બપોરના બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ભારે હોબાળાને કારણે માત્ર અમુક મિનીટોની અંદર જ સદનને સ્થગિત કરવાની ફરજ પડી હતી.

 

બપોરના બે વાગ્યા સુધી બંને ગૃહો કરાયા સ્થગિત 

દેશના અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચા કરાતી હોય છે. હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અદાણી તેમજ રાહુલ ગાંધીના ભાષણ સિવાય સાંસદો પાસે કોઈ મુદ્દો ન હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દાઓને લઈ ભારે હંગામો કરવામાં આવી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ અડગ છે અને આ વાતને લઈ હોબાળો કરી રહ્યું છે તો વિપક્ષ અદાણી મુદ્દાને લઈ જેસીપી તપાસની માગ કરી રહી છે. આ બે મુદ્દાને લઈ હોબાળો સંસદમાં કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ હોબાળાની અસર સંસદની કાર્યવાહી પર પડી રહી છે. શુક્રવારે હોબાળાને કારણે સોમવાર સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી પરંતુ આજે  જ્યારે સત્ર શરૂ થયું તેની થોડી મિનિટોની અંદર જ બપોરના બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાને સ્થગિત કરવામાં આવી છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.