લાખોના ખર્ચે દિવાલો પરથી હટાવાશે રાજકીય પાર્ટીના લોગો,AMCનો નિર્ણય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 10:20:24

થોડા મહિનાઓ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પક્ષોએ જાહેર સ્થળો પર તેમજ શહેરની દિવાલોને પર પાર્ટીના ચિન્હોથી ચિતરી નાખી છે. ત્યારે હવે આ ચિન્હોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે અંદાજીત 70 લાખનો ખર્ચ કરવામાં આવવાનો છે. જો ફરી વખત દિવાલો પર પાર્ટીના ચિન્હો દોરવામાં આવશે તો AMC તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

 અનેક દિવાલો પર જોવા મળે છે રાજકીય પાર્ટીના ચિન્હો

પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે રાજકીય પક્ષો અનેક જગ્યાઓ પર હોર્ડિંગ્સ લગાડતા હોય છે. બિલ્ડિંગો પર તેમજ રિક્ષા પાછળ અનેક પક્ષોના પોસ્ટર જોવા મળે છે. ત્યારે પ્રચાર માટે દિવાલો તેમજ સરકારી મિલક્તોની દિવાલ પર પાર્ટીનો ચિન્હો જોવા મળે છે. દિવાલો પરથી પક્ષોના ચિન્હોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Lotus, hand, broom – Ahmedabad walls are at war. Residents unhappy


AMC કરી રહી છે લોગો હટાવવાની કામગીરી

ચિન્હોને હટાવવામાં અંદાજીત 70 લાખનો ખર્ચ કરવામાં આવશે. તે માટે દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યા પરથી ચિન્હ હટાવવામાં આવ્યા છે જો ત્યાં ફરીથી ચિન્હો ચિતરવામાં આવશે તો તેમની સાથે કાર્યવાહી કરવામાં આવશે.





દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.