'નલ સે જલ યોજના'માં થતાં કૌભાંડ અંગે સ્થાનિકોએ કરી ફરિયાદ! મહીસાગરમાં વાસ્મો યુનિટ મેનેજર સહિત અધિકારીઓ વિરૂદ્ધ લેવાયા પગલા!


  • Published By :
  • Published Date : 2023-07-07 13:04:13

નલ સે જલ યોજનાની શરૂઆત સરકારે સારા હેતુથી કરી હતી. પાણી માટે લોકોને વલખા ન મારવા પડે અને ઘરમાં નળના માધ્યમથી પાણી આવે તેવી આશા સાથે આ યોજનાનો આરંભ  કરાવવામાં આવ્યો હતો. સરકારી ચોપડે તો 100 ટકા નલ સે જલ યોજના પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જ્યારે આ મામલે દેવાંશી જોષીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું ત્યારે જે વાસ્તવિક્તા સામે આવી તે ચોંકાવનારી હતી. ગામોમાં નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું. નળ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી વાસ્મો કચેરીમાં આ યોજનામાં કૌભાંડ આચરનારા વાસ્મો યુનિટ મેનેજર સહિત 7 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.    

જમાવટની ટીમ ઘણા મહિનાઓથી નલ સે જલ યોજના ગામડાઓ સુધી નથી પહોંચી તેવી વાત સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારી ચોપડે આ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં આ યોજના નથી પહોંચી. સરકાર ભલે આવું કહી શાબાશી લેવા માગતી હોય પરંતુ વાસ્તવિક્તા કંઈક જૂદી જ છે. જ્યારે દેવાંષી જોષી અંતરિયાળ વિસ્તારોમાં અથવા તો ગામડાઓમાં ગયા ત્યારે તેમણે વાસ્મો પ્રોજેક્ટ અંગે પૂછ્યું ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. નળ તો પહોંચી ગયા છે પરંતુ અનેક વર્ષો થયા પણ પાણી નથી પહોંચ્યું. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.     

મહીસાગર જિલ્લાની લુણાવાડા ખાતે આવેલી વાસ્મો કચેરીમાં નલ સે જલની કામગીરીમાં મોટું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થતાં વાસ્મોના યુનિટ મેનેજર સહિતના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે મહીસાગર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ ખાતે નલ સે જલની કામગીરી દરમ્યાન ગેરરીતિ અંગેની ફરિયાદો મળતા ગુજરાત  પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકારે એસ્ટીમેન્ટ મુજબ નક્કી કરેલ ધારાધોરણ મુજબની PVC પાઇપના બદલે તકલાદી પાઇપો નાખવામાં આવી હોવાની બૂમો ઉઠી હતી. ઉપરાંત ગેલ્વોનાઇઝના કોકના બદલે સાદા પ્લાસ્ટિકના કોક બેસાડી ઇજારદારો અને કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લુણાવાડા, સંતરામપુર,કડાણા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં થયેલ હોવાનું માલુમ પડતા ચાલતા કામોની ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ હજુ ચાલુ જ છે ગામના લોકોએ મોકલે છે.  

મહત્વનું છે કે આ એક એવો વિષય છે જેમાં સરકારને અધિકારી અને Contractorએ ભેગા થઈને મૂરખ બનાવી રહ્યા છે. હવે એમાં કરાતી કાર્યવાહી બતાવે છે કે આખા ગુજરાતના કૌભાંડીઓની ખૈર નથી. જમાવટની ટીમ તો રિપોર્ટીંગ કરે છે પરંતુ હવે સ્થાનિકો પણ જાગૃત થવાની છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચવાની જરૂર છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.