મિલકતની લાલચે પુત્રએ માતાને જીવતે જીવ મારી નાખી, જીવીત માતાનો મરણનો દાખલો મેળવ્યો


  • Published By :
  • Published Date : 2023-04-12 19:58:12

લોકો મિલકત પચાવી પાડવા માટે અનેક પ્રકારના ગોરખધંધા કરતા હોય છે. જો કે સગો પુત્ર મિલકતની લાલચે માતાને જીવતા જીવે મારી નાંખે ત્યારે કહેવું જ શું? મહીસાગરના બાલાસિનોરમાં જીવીત મહિલાનો મરણ દાખલો આપ્યાનું સામે આવ્યો છે. વિમળાબેન પરમાર હયાત હોવા છતાં ઓપરેટરે મરણનો દાખલો કાઢી આપતા ફરિયાદ નોંધાવી છે. વિમળા બેનના નાના પુત્રએ તેઓ જીવતા હોવા છતાં મિલકત માટે મારી નાખ્યાં હતાં.


સમગ્ર મામલો શું હતો?


બાલાસિનોરમાં માતાની મિલકત પડાવી લેવા પુત્રે માતાનો મરણનો દાખલો કઢાવ્યો હતો. પુત્રએ તેની હયાત માતા વિમળાબેન પરમારના 21 ફેબ્રુઆરી 2023ના રોજ મરણ થયું હોવાનો દાખલો કઢાવી લીધો હતો. તેણે તલાટીના સહી સિક્કા વાળો દાખલો ઓપરેટર પાસેથી લીધો હતો. તલાટી અને TDOએ ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે સમગ્ર બાબતે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


આ કૃત્યને લઈ પુત્ર પર ફિટકાર 


બાલાસિનોરમાં મિલકતની લાલચે પુત્રે માતાને જીવતા જીવે મારી નાંખી છે. કોમ્પ્યુટર આપરેટર જોડેથી જીવતી માતાનો મરણનો દાખલો કઢાવી લેતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે, સમગ્ર પંઠકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, લોકો આ નાલાયક પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.