સાહિત્યપ્રેમીઓને મળશે મોટી ભેટ, કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનો થશે શુભારંભ


  • Published By :
  • Published Date : 2023-02-20 17:14:36

અમદાવાદના ખાનપુર ખાતે સ્થિત ભવન્સ કેમ્પસમાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર કાંતિ ભટ્ટનું સ્મારક ભવન અને વાંચનાલયનું લોકાર્પણ 21 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. પુસ્તકાલયમાં કાંતિ ભટ્ટના 1600 પુસ્તકો અને 16000થી વધારે લેખો એક સ્થળ પર વાંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટ દ્વારા આ સ્મારક બનાવામાં આવ્યું છે. આ સ્મારકનું લોકાર્પણ મધુ રાયના હસ્તે થવાનું છે. 

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

પુસ્તકાલય તેમજ સ્મારક ભવનનું થશે લોકાર્પણ

ગુજરાતી સાહિત્યની કૃતિઓ એક સ્થળે મળી રહે તે માટે  અનેક પુસ્તકાલયોનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના જાણીતા પત્રકાર અને સાહિત્યકાર કાંતિ ભટ્ટની કૃતિઓ તેમજ તેમના દ્વારા લખાયેલું સાહિત્ય એક સ્થળ પર મળી રહે તે માટે એક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ખાનપુરમાં આવેલા ભવન્સ કેમ્પસમાં કાંતિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. કાંતિ ભટ્ટના 1600 પુસ્તકો તેમજ લેખો એક સ્થળ પર વાંચવા મળી રહેશે. એમ પણ કાંતિ ભટ્ટને વાંચવાનો એક લ્હાવો છે. 

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

એક સ્થળ પર વાંચવા મળશે કાંતિ ભટ્ટનું સાહિત્ય 

1931માં ભાવનગર ખાતે કાંતિ ભટ્ટનો જન્મ થયો હતો. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ તેમના આર્ટિકલ દેશભરમાં પ્રસિદ્ધ થયા હતા. તેમના આર્ટિકલે સૌને પોતાની તરફ આકર્ષ્યા છે. કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટે લાંબા સમય સુધી મેગેઝિન જર્નાલિઝમ પર શાસન કર્યું હતું, એવું માનવામાં આવતું હતું કે તેઓ ડર્યા વગર પોતાની વાત રજૂ કરી દેતા હતા. પોતાના લેખમાં વાંચકોને વિષયને લઈ ડિટેલ માહિતી આપતા અને એવું કહેવાતું હતું કે કોઈ પણ એવો વિષય નહીં હોય જેની જાણકારી કાંતિ ભટ્ટને ન હોય. ત્યારે અમદાવાદમાં તેમની યાદમાં સ્મારક ભવન તેમજ પુસ્તકાલયનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જ્યાં એક સ્થળ પર જ તેમની 1600 પુસ્તકો રાખવામાં આવશે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.