જૂનાગઢઃ પ્રારંભ પહેલા 4 લાખ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમા પૂર્ણ કરી


  • Published By :
  • Published Date : 2022-11-05 15:19:49

જૂનાગઢ ખાતે ગીરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે સત્તાવાર રીતે શુભારંભ થઈ ગયો છે.  જૂનાગઢના સાધુ-સંતોએ રિબિન કાપી શ્રીફળ વધેરી અને પરિક્રમાની વિધિવત રીતે શરૂઆત કરાવી હતી. ચૂંટણીની કામગીરીના કારણે કોઈ સરકારી અધિકારી આ કાર્યક્રમમાં હાજર નહીં રહી શક્યું. જોકે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાના કારણે કોઈ રાજકીય નેતાઓ પણ હાજર નહોતા રહી શક્યા. 


લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ

જૂનાગઢ ભવનાથના મહંત હરિગીરી બાપુ અને મહંત મહેન્દ્રગીરી બાપુ સહિતના સંતોએ શ્રીફળ ફોડીને લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ગીરનારની પરિક્રમામાં લગભગ 10 લાખ જેટલા લોકો ભાગ લેતા હોય છે ત્યારે પરિક્રમાની વિવિવત શરૂઆત પહેલા જ 4 લાખ લોકોએ 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. 

શું તમે જાણો છો ગિરનારની લીલી પરિક્રમા વિષે? વાંચો તેની કેટલીક અજાણી વાતો.  | Dharmik Topic

આ વખતે લીલી પરિક્રમામાં હજુ પણ ઘણા શ્રદ્ધાળુઓ આવશે ત્યારે વિશેષ વ્યવસ્થાઓ પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી છે. કોરોના બાદ પહેલીવાર જંગી પરિક્રમાનો લાખો લોકો ભાગ લેશે. સુરક્ષા અને વ્યવસ્થા માટે પોલીસે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરી રાખી છે. આ વખતે પહેલીવાર ગાદલીની વ્યવસ્થા રાખવામાં આવી છે, જે વ્યક્તિ બીમાર હોય તેના માટે દવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. લોકોને ચાલવામાં અગવડ ના પડે તેના માટે લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.