LICના શેરોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, IPO ભાવથી 40 ટકા તુટ્યા, માર્કેટ કેપ પણ 6ઠ્ઠા થી 12માં સ્‍થાને પહોચ્‍યું


  • Published By :
  • Published Date : 2023-02-28 19:43:59

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC અદાણી ગ્રુપમાં મોટાપાયે રોકાણ કરીને જબરદસ્ત નુકસાનનો સામનો કરી રહી છે. LICના શેર દરરોજ તુટી રહ્યા છે, LICને આ રીતે બે પ્રકારના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો તેના મુડી રોકાણ પર ફટકો પડી રહ્યો છે જ્યારે બીજી બાજુ તેના શેર પણ માર્કેટમાં તુટીને રેકોર્ડબ્રેક નીચી સપાટીએ પહોંચ્‍યા છે.  


અદાણીના વાંકે LICને સજા


LICનો શેર 2.9 ટકા ઘટીને રૂ. 567.8 પર બંધ થયો હતો. કંપનીના માર્કેટ વેલ્‍યુએશનમાં IPO સ્‍તરથી 40 ટકા એટલે કે રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો થયો છે. LICના શેરમાં ગયા મહિને 15 ટકાનો ઘટાડો થયો હતો, જે મેગા-કેપમાં સૌથી વધુ છે. LICનું એમકેપ લિસ્‍ટિંગ સમયે ૬ઠ્ઠા સ્‍થાનેથી હવે 12માં સ્‍થાને પહોંચી ગયું છે. અદાણી ગ્રૂપના શેર્સ LICના ઈક્‍વિટી પોર્ટફોલિયોમાં એક ટકા કરતા પણ ઓછા હિસ્‍સો ધરાવતા હોવા છતાં, બજારે તેના શેરને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્‍યું છે.


LICનું હોલ્ડિંગ કેટલું છે?


અદાણીની કંપનીઓમાં ઇક્‍વિટી અને ડેટના સ્‍વરૂપમાં LICનું હોલ્‍ડિંગ 31 જાન્‍યુઆરીના રોજ, રૂ. 36,000 કરોડથી ઓછું હતું. વીમા કંપનીએ જણાવ્‍યું હતું કે ઇક્‍વિટી ખરીદીનું મૂલ્‍ય રૂ. 30,127 કરોડ હતું. અદાણીના શેરમાં સતત ઘટાડાને પગલે LICના હોલ્‍ડિંગનું મૂલ્‍ય એક્‍વિઝિશન કોસ્‍ટ કરતાં નીચે ગયું છે, જેના કારણે ચિંતા વધી છે. 


LICના બિઝનેસ અંગે ચિંતા વધી


શેર બજારના નિષ્ણાતોના જણાવ્‍યા મુજબ અદાણી ગ્રૂપના શેર્સમાં LICના રોકાણથી પેદા થયેલા નકારાત્‍મક સેન્‍ટિમેન્‍ટને કારણે રોકાણકારો LICના બિઝનેસ પર અસર અંગે પણ ચિંતિત છે. આ સિવાય તેમનું કહેવું છે કે સરકારી ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટના મામલે LICનો સતત દુરૂપયોગ થઈ રહ્યો છે. હાલમાં, LICમાં સરકારનો હિસ્‍સો 96.5 ટકા છે અને રિટેલ ભાગીદારી લગભગ 2 ટકા છે. દરમિયાન, વિદેશી ફંડ્‍સ તેમાં માત્ર 0.17 ટકા હિસ્‍સો ધરાવે છે. આવી સ્‍થિતિમાં, LICના મૂલ્‍યમાં ઘટાડો સરકાર અને નાગરિકોને અન્‍ય કોઈ કરતાં વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.